1. Home
  2. ગુજરાતી
  3. 62 દિવસની અમરનાથ યાત્રા શરૂ: ભક્તોએ બાબા બર્ફાનીના વિશાળ સ્વરૂપના કર્યા દર્શન
62 દિવસની અમરનાથ યાત્રા શરૂ: ભક્તોએ બાબા બર્ફાનીના વિશાળ સ્વરૂપના કર્યા દર્શન

62 દિવસની અમરનાથ યાત્રા શરૂ: ભક્તોએ બાબા બર્ફાનીના વિશાળ સ્વરૂપના કર્યા દર્શન

0
Social Share
  • 62 દિવસની અમરનાથ યાત્રા શરૂ
  • ભક્તોએ બાબા બર્ફાનીના કર્યા દર્શન

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ શનિવારે અમરનાથ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે શ્રેષ્ઠ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

સિન્હાએ કહ્યું કે, જમ્મુ અને કાશ્મીર સરકાર એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે યાત્રાળુઓની આરામ અને સુવિધા માટે શક્ય તેટલી શ્રેષ્ઠ વ્યવસ્થા કરવામાં આવે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સુવિધાઓમાં દૃશ્યમાન સુધારાઓ લાવવા માટે વર્ષોથી સમર્પિત પ્રયાસો કરવામાં આવ્યા છે. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડના અધિકારીઓ આ વર્ષની યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓની જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવે તે સુનિશ્ચિત કરવા સખત મહેનત કરી રહ્યા છે.

પ્રથમ વખત 62 દિવસની અમરનાથ યાત્રા 01 જુલાઈથી અનંતનાગ જિલ્લાના પહેલગામ ટ્રેક અને ગાંદરબલ જિલ્લાના બાલતાલ બંને માર્ગોથી શરૂ થશે. આ યાત્રા રક્ષાબંધન, 31 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. 17 એપ્રિલથી દેશભરમાં યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. બાબા અમરનાથની પવિત્ર ગુફામાંથી સવાર અને સાંજની આરતીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. દેશ અને દુનિયામાં બેઠેલા ભક્તો દરરોજ બાબા બર્ફાનીની આરતીનો લાભ લઈ શકશે.

ઉપરાજ્યપાલે આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાર્ષિક શ્રી અમરનાથ જી યાત્રાની ઔપચારિક શરૂઆત માટે પ્રથમ પૂજામાં ભાગ લીધો હતો અને બર્ફાનીના આશીર્વાદ લીધા હતા. સિંહાએ રાજ્યના લોકો અને દેશવાસીઓના સારા સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે પ્રાર્થના કરી. અમરનાથજી શ્રાઈન બોર્ડ દ્વારા દર વર્ષે જ્યેષ્ઠ પૂર્ણિમાના શુભ અવસર પર પવિત્ર ગુફામાં પ્રથમ પૂજા કરવામાં આવે છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code