1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં નવ તળાવો સુએજના ટ્રીટ કરેલા પાણીથી ભરવા રૂપિયા 85 કરોડનો ખર્ચ કરાશે
અમદાવાદમાં નવ તળાવો સુએજના ટ્રીટ કરેલા પાણીથી ભરવા રૂપિયા 85 કરોડનો ખર્ચ કરાશે

અમદાવાદમાં નવ તળાવો સુએજના ટ્રીટ કરેલા પાણીથી ભરવા રૂપિયા 85 કરોડનો ખર્ચ કરાશે

0
Social Share

અમદાવાદઃ  શહેરના વિવિધ વિસ્તારોમાં  કુલ 156 તળાવો  જેટલા તળાવો આવેલા છે. જેમાંથી 28 સંપૂર્ણ રીતે વિકસિત છે. જેમાં વોક-વે, RCC રિટેઈનિંગ વોલ, દિવાલો, બગીચાના વિસ્તારો, બાળકો માટે રમતના સાધનો વગેરે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જ્યારે બાકીના તળાવોને વિકસિત કરવાના બાકી છે.  મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરની સુંદરતા વધારવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જેમાં શહેરના નવ તળાવોને  સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટ કરેલા પાણીથી ભરવામાં આવશે. જેની માટે 2 MLDનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. જેની માટે  મ્યુનિ. કોર્પોરેશન કુલ  85 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.

એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં કુલ 156 તળાવો છે. જેમાંથી 28 સંપૂર્ણ રીતે વિકસિત છે. જેમાં વોક-વે, RCC રિટેઈનિંગ વોલ, દિવાલો, બગીચાના વિસ્તારો, બાળકો માટે રમતના સાધનો સાથેનો વિસ્તાર કરવામાં આવેલો છે. જ્યારે બાકીના તળાવોને વિકસિત કરવાના બાકી છે. જેમાં 9 તળાવો ટ્રીટેડ પાણીથી ભરીને તેની આસપાસના વિસ્તારને વિકસિત કરીને તેને સુંદર હરવા ફરવા લાયક સ્થળ તરીકે વિકસિત કરાશે. આ પ્રયાસોના પગલે તળાવની આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળ પણ રિચાર્જ થશે. જેમાં ભાડજ, ઓગણજ, ઔકફ, હાથીજણ અને નરોડા મુઠીયા ગામ ખાતેના તળાવોનો વિકાસ થશે

સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ વખતે એસટીપીની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. વસ્ત્રાપુર તળાવમાં પણ વરસાદી પાણી ઠલવાતું હોય છે.  જો કે, કેટલીક ખામીને લીધે પાણી ભરાયેલું રહેતું નથી.આવા  પાંચ તળાવો છે. તેનો વિકાસ પણ 10 કરોડના ખર્ચે કરવામાં આવશે.રાષ્ટ્રીય જળ સંરક્ષણ યોજના(NPCA)હેઠળ વિકસાવવામાં આવનાર જગતપુર તળાવ ખાતે 2 MLD ક્ષમતાનો STP સ્થાપિત કરવામાં આવશે. ત્રણ મહિના પહેલા મંજૂરી મળી હતી.આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ.7.5 કરોડ છે. અન્ય ત્રણ તળાવો જ્યાં કામ ચાલી રહ્યું છે તે સોલા તળાવ, અને અસારવા તળાવ છે. જ્યારે આ તળાવોને ભરવા માટે નર્મદા કેનાલ મારફતે જાસપુર ગામ પાસે સ્ટોર્મ વોટર લાઇન નાખવામાં આવી છે. જો ચોમાસા દરમિયાન નર્મદા ડેમ ઓવરફ્લો થાય તો ખોરજ તળાવને ભરવામાં મદદ મળશે. આ સાથે તળાવોને જોડતી લાઇન છે. તેમાંથી પાણી ત્રાગડ થઈને છારોડી થઈને જગતપુર થઈને ગોતા તળાવ થઈને સોલા તળાવમાં જશે. જેમાં ચોમાસામાં આ તળાવોને પાણીથી ભરી શકાશે.

 

 

 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code