
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની જાહેરાત, એક સપ્તાહ માટે ફરી લોકડાઉન વધાર્યું
- દિલ્હીના સીએમ કેજરીવાલની જાહેરાત
- એક સપ્તાહ માટે લોકડાઉન લંબાવાયું
- 31 મેં સુધી રહેશે લોકડાઉન
- કેજરીવાલે કહ્યું,યુદ્ધ હજુ બાકી છે
દિલ્લી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા કેસ અને સંક્રમણ દર નીચે આવ્યો છે. ઘટતા સંક્રમણ દર વચ્ચે લોકડાઉન વધારવા અથવા દૂર કરવાની શંકા હવે સમાપ્ત થઈ ગઈ છે. રવિવારે કેજરીવાલ સરકારે ફરી એક વાર લોકડાઉન વધાર્યું છે અને તેને એક અઠવાડિયા સુધી અમલમાં મૂકવાનો આદેશ આપ્યો છે. એવામાં, પ્રતિબંધો દિલ્હીમાં 31 મે સુધી જારી રહેશે.
18 એપ્રિલથી દિલ્હીમાં શરૂ થયેલ લોકડાઉન 24 મેના રોજ સમાપ્ત થવાનું હતું, પરંતુ તે પહેલા મુખ્યમંત્રીએ તેને એક સપ્તાહ વધુ લંબાવવાની જાહેરાત કરી છે. હવે દિલ્હીમાં 31 મે સુધી લોકડાઉન જારી રહેશે.
રવિવારે પત્રકાર પરિષદ આપતી વખતે સીએમ કેજરીવાલે કહ્યું કે, એક મહિનામાં દિલ્હીના અનુશાસનને કારણે કોરોનાની લહેર નબળી પડતી હોય તેવું લાગી રહ્યું છે. એપ્રિલમાં સંક્રમણ દર 36% સુધી પહોંચ્યો હતો, આજે ઓછા લોકો સંક્રમિત જોવા મળે છે. તેમણે કહ્યું કે, રવિવારે છેલ્લા 24 કલાકમાં 1600 કેસ નોંધાયા છે.
કેજરીવાલે કહ્યું કે, જો કેસ ઘટતા રહેશે તો 31 મીથી કેટલીક પ્રવૃત્તિઓ સાથે દિલ્હીને અનલોક કરવાની પ્રક્રિયા ધીમે ધીમે શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે યુદ્ધ હજુ બાકી છે અને દરરોજ એક હજારથી વધુ કેસ આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં મેં ઘણા લોકોને પૂછ્યું કે શું કરવું જોઈએ. ત્યાં સામાન્ય સર્વસંમતિ એ બની કે લોકડાઉન 1 અઠવાડિયા માટે વધારવામાં આવે.