
ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં જેઠ મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે. શહેર અને જીલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સારા અને વાવણી લાયક વરસાદને પગલે ખેડૂતોએ ભીમ અગિયારસના પર્વે વાવણીનો પ્રારંભ કરી દીધો હતો. આ વર્ષે ચોમાસાની સિઝનના પ્રારંભે જ સીઝનનો ૧૫ ટકા વરસાદ વરસી જતા ધરતીપુત્રો ગેલમાં આવી ગયા છે. મગફળી, બાજરી, કપાસ સહિતના બિયારણોનું વાવેતર કરી વાવણી કાર્યમાં જોડાયા છે, અત્યાર સુધીમાં 5400 હેકટર જમીનમાં વાવેતર કાર્ય પૂર્ણ થયું છે. એટલે આ વર્ષે આરંભે વાવણીલાયક વરસાદ વરસતા ભીમ અગિયારશ પૂર્વે વાવતેર કાર્ય શરૂ થઇ ગયું હતું.
અગાઉના જમાનામાં ભીમ અગિયારશના પર્વે સારા નક્ષત્રમાં ખેડૂતો વાવણી કાર્યનો આરંભ કરતા હતા આ વર્ષે ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં એવરેજ 62 મી.મી. વરસાદ વરસી જતા જેસર સહિત કેટલાક પંથકમાં વાવણી કાર્યનો આરંભ થઇ ગયો છે. અત્યાર સુધીમાં 5400 હેકટર જમીનમાં વાવેતર કાર્ય પૂર્ણ થયું છે. એટલે આ વર્ષે આરંભે વાવણીલાયક વરસાદ વરસતા ભીમ અગિયારશ પૂર્વે વાવતેર કાર્ય શરૂ થઇ ગયું હતું.
ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં કુલ 5400 હેકટર જમીનમાં વાવેતર કાર્ય થયું છે તેમાં ખરીફ પાકમાં વર્ષોથી પ્રથમ ક્રમે રહેતા કપાસનું વાવેતર 3800 હેકટર જમીનમાં અને બીજા ક્રમે રહેતા મગફળીના પાકનું વાવેતર 1600 હેકટર જમીનમાં થયું છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજ સુધીમાં સૌથી વધુ ચોમાસુ પાકનું વાવેતર રાજકોટ જિલ્લામાં 55,000 હેકટર જમીનમાં થયું છે.
સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં ખરીફ પાકનું કુલ વાવેતર 2,18,600 હેકટર જમીનમાં થયું છે તે પૈકી સૌરાષ્ટ્રમાં ખરીફ પાકનું વાવેતર 1,52,700 હેકટરમાં થયું છે. ભાવનગર જિલ્લામાં ધીમી ગતિએ ચોમાસાનું આગમન થઇ રહયું છે.આ વર્ષે સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં ખરીફ પાકનું કુલ વાવેતર 2,18,600 હેકટર જમીનમાં થયું છે તે પૈકી સૌરાષ્ટ્રમાં ખરીફ પાકનું વાવેતર 1,52,700 હેકટરમાં થયું છે.