1. Home
  2. ગુજરાતી
  3. વિદેશોમાં રહેતા ભારતીયોને મોદી સરકારે આપી ભેટ,લાખો લોકોને થશે ફાયદો
વિદેશોમાં રહેતા ભારતીયોને મોદી સરકારે આપી ભેટ,લાખો લોકોને થશે ફાયદો

વિદેશોમાં રહેતા ભારતીયોને મોદી સરકારે આપી ભેટ,લાખો લોકોને થશે ફાયદો

0
Social Share
  • દેશ-વિદેશમાં રહેતા ભારતીયોનો મળશે રાહત
  • મોદી સરકારે આપી મોટી ભેટ
  • ભારત યાત્રા માટે હવે જૂના પાસપોર્ટની જરૂર નહી

દિલ્હી:વિદેશોમાં રહેતા ભારતીયો માટે મોદી સરકાર દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી છે. આ જાણકારી એવી છે કે જે વિદેશમાં રહેતા ભારતીયો માટે એક મોટી ભેટ બરાબર છે. ભારતીય દૂતાવાસે કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે જાહેર નોટિફિકેશનનો ઉલ્લેખ કરતા સોમવારે જણાવ્યું કે, OCI કાર્ડની સાથે જૂના પાસપોર્ટ રાખવાની જરૂરિયાત સમાપ્ત કરી દેવામાં આવી છે.

વર્ષ 2005થી લાગૂ ICOના દિશાનિર્દેશ અનુસાર, 20 વર્ષથી ઓછી અને 50 વર્ષથી વધુ ઉંમરના કાર્ડધારકોને દર વખતે નવો પાસપોર્ટ બનાવવા પર પોતાના કાર્ડ પુનઃ જાહેર કરવાનો હોય છે. ભારત સરકારે કોરોના વાયરસ મહામારીના કારણે આની સમય મર્યાદા અનેક વખત વધારી છે, પરંતુ OCI કાર્ડ ધારકો માટે યાત્રા દરમિયાન જૂના પાસપોર્ટને સાથે રાખવાની જરૂરિયાતમાં પહેલી વખત છૂટ અપાઇ છે.

આ જાહેરાતે વિદેશોમાં રહેતા ભારતીયોને એક મોટી ચિંતા દૂર કરી દીધી છે. દૂતાવાસ તરફથી કહેવામાં આવ્યું છે કે, હવેથી જૂના પાસપોર્ટ સંખ્યાવાળા હાલના OCI કાર્ડના સહારે પ્રવાસ કરતા OCI કાર્ડ ધારકને ધારકને જૂના પાસપોર્ટ સાથે રાખવાની જરૂરિયાત નથી, પરંતુ નવો(હાલનો) પાસપોર્ટ સાથે રાખવો જરૂરી હશે.

ભારત સરકારે 20 વર્ષથી ઓછા અને 50 વર્ષથી વધુની ઉંમરના કાર્ડધારકો માટે OCI કાર્ડ પુનઃજાહેર કરવાની સમય મર્યાદા વધારીને 31 ડિસેમ્બર 2021 કરવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે લાખોની સંખ્યામાં લોકોને ફાયદો થશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code