1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતઃ લવજેહાદની કેટલીક કલમોની અમલવારી ઉપર હાઈકોર્ટે ફરમાવ્યો મનાઈ હુકમ

ગુજરાતઃ લવજેહાદની કેટલીક કલમોની અમલવારી ઉપર હાઈકોર્ટે ફરમાવ્યો મનાઈ હુકમ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં લવજેહાદના બનાવોને અટકાવવા માટે સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવ્યો છે. આ કાયદાની કેટલીક કલમોની અમલવારી ઉપર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદાની કલમ 3, 4, 5 અને 6માં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી ઉપર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. આંતરધર્મીય લગ્નના કિસ્સાઓમાં માત્ર લગ્નના આધાર પર એફઆઈઆર થઈ શકશે નહિ તેવું હાઈકોર્ટે નોંધ્યું હતું. જ હાઈકોર્ટે નોંધ્યું હતું કે, બળજબરી, દબાણ કે લોભ લાલચથી લગ્ન થયા છે તેવું પુરવાર કર્યા સિવાય એફઆઈઆર થઈ શકશે નહિ.

કેસની હકીકત અનુસાર લવ જેહાદના કાયદાને પડકારતી અરજી હાઈકોર્ટમાં થઈ હતી. આ અરજીની સુનાવણીમાં લવ જેહાદની કેટલીક કલમ પર મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો છે. વિધર્મી યુવકો દ્વારા હિન્દુ યુવતીઓને લગ્નની લાલચ આપીને ધર્મ પરિવર્તનની પ્રવૃતિ અટકાવવા માટે વિધાનસભામાંથી પસાર કરાયેલા લવ જેહાદ (ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ) કાયદો 15 જૂનથી ગુજરાતમાં લાગુ કરાયો હતો. અગાઉ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં આ કાયદો લાગુ કરવામાં આવી ચૂક્યો છે. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 બિલ રજુ કર્યું હતું. જે વિધાનસભામાંથી પાસ થઇ ગયા બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પાસે ગયું હતું. જે મંજુર થયા બાદ સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. ગુજરાત સરકારે આ કાયદામાં 5 વર્ષ સુધીની સજા અને 2 લાખ રૂપિયાના દંડની, જ્યારે સગીર સાથેના ગુનામાં 7 વર્ષની સજા અને 3 લાખ રૂપિયાના દંડની જોગવાઇ કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code