
આજે નાગપંચમી, રાજકોટમાંનાગદેવતાની પૂજામાટે શિવમંદિરમાં ઉમટી પડતાં ભાવિકો
- જન્માષ્ટમીના પર્વનીશૃંખલાનો શુભારંભ
- શ્રાવણ વદ પાંચમ એટલે ‘નાગ પંચમી’
- નાગદેવતાની પૂજામાટે શિવમંદિરમાં ઉમટી પડતાં ભાવિકો
શ્રાવણ વદ પાંચમ એટલે ‘નાગ પંચમી’..ખાસ કરીને બહેનો આ દિવસે નાગદેવતાની પૂજા કરે છે. ઉપવાસ કરીને બાજરીની કુલેર કે જે બાજરીનો લોટ, ગોળ, ઘી નાખીને બનાવવામાં આવે છે. જેને પાણીયારા ઉપર નાગદેવતાનું કંકુથી ચિત્રદોરી ઘીનો દિવો કરી વંદન કરે છે અને શ્રીફળ વધેરે છે. હિન્દુ ધર્મમાં મોટાભાગની બહેનો આ વ્રત કરતી હોય છે.
રાજકોટમાં આવેલ શિવમંદિર ખાતે નાગ પંચમીની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી ભાવિકો મંદિર ખાતે ઉમટી પડ્યા હતા અને નાગ દેવતાની પૂજા-અર્ચના કરી હતી. તેમજ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. શ્રદ્ધાળુઓએ કોરોનાની ગાઈડલાઈન મુજબ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.
ઉલ્લેખનીય છે કે આપણા દેશમાં ધર્મ પ્રત્યે લોકોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે. આપણી સંસ્કૃતિ છે કે આપણે દરેક પ્રાણી-પશુ-પક્ષીમાં ભગવાનનો વાસ જોઈએ છે અને તેની પૂજા પણ કરીએ છે. નાગપંચમીની ઉજવણી રાજ્યના તમામ શહેરોમાં કરવામાં આવે છે અને ભક્તો ભીડ પણ જોવા મળતી હોય છે. દરેક તહેવાર લોકોમાં અનેરો આનંદ જોવા મળતો હોય છે અને હવે સાતમ આઠમ પર તે વધારે જોવા મળશે. તહેવારોને લઈને દેશમાં દરેક લોકોમાં અનોખો આનંદ હોય છે, તહેવારોનું મહત્વ દેશમાં એટલું છે કે તે લોકોને એકબીજાની નજીક લાવે છે.
કોરોનાવાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને લોકો દ્વારા કોરોનાગાઈડ લાઈનું પાલન પણ કરવામાં આવે છે અને તહેવારોમાં ક્યારેક તો પ્રશાસન દ્વારા પણ તકેદારી માટેના પગલા લેવામાં આવે છે.