1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં કોરોનાના 7,476 કેસ નોંધાયા, અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 2861 કેસ,
ગુજરાતમાં કોરોનાના 7,476 કેસ નોંધાયા, અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 2861 કેસ,

ગુજરાતમાં કોરોનાના 7,476 કેસ નોંધાયા, અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 2861 કેસ,

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજબરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે મંગળવારે રાજ્યમાં કોરોનાના 7,476 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 2861 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. રાજ્યમાં  નોંધાતા કોરોનાના કેસોના પોઝિટિવિટી રેટમાં અમદાવાદ અને સુરત બાદ વડોદરા આવે છે, રાજ્યમાં આજે સાંજના 5 વાગ્યા સુધીમાં 3,30,074 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9,38,31,668 લોકો વેક્સિનેશન થયેલા છે.

રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે. ગઈકાલે સોમવારે રાજ્યમાં કોરોનાના 6077  કેસ નોંધાયા હતા. આજે મંગળવારે 7,476 કેસ નોંધાતા 1399  કેસનો વધારો થયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં ગઈકાલે સોમવારે 1873  કેસ નોંધાયા હતા. જેમાં આજે મંગળવારે 2861 કેસ નોંધાતા 988 કેસનો વધારો થયો છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. પરંતુ  આજે મંગળવારે ઓમિક્રોનનો એકપણ  કેસ નોંધાયો ન હતો. જ્યારે આજે અગાઉ ઓમિક્રોનથી સંક્રમિત થયેલા 2 દર્દીઓ સાજા થઈ જતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

રાજ્યમાં સરકારે કોરોનાના વધતા કેસને લઈને નિયંત્રણો વધુ કડક બનાવ્યા છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં આવતીકાલ તા. 12મીથી અમલમાં આવે તે રીતે તા.22મી જાન્યુઆરી સવારના 6 વાગ્યા સુધી તમામ પ્રકારના રાજકિય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારોહ અને મેળાવડાઓ તેમજ લગ્ન સમારોહમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદામાં જ યોજી શકાશે.

ગુજરાતમાં કોરોનાના આજે 7,476   કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 2861    કેસ, સુરત શહેરમાં 1988  કેસ, વડોદરા શહેરમાં 551  કેસ, આણંદમાં 88  કેસ, કચ્છમાં 121 કેસ, રાજકોટ શહેરમાં 244 કેસ, ખેડામાં 71, કેસ  ભરૂચમાં 92  કેસ, અમદાવાદ જિલ્લામાં 42 કેસ, ગાંધીનગર શહેરમાં 135  કેસ, અને જિલ્લામાં 47, રાજકોટ જિલ્લામાં 75 કેસ, ભાવનગર શહેરમાં 136 કેસ અને જિલ્લામાં 16 કેસ, જામનગર શહેરમાં 82 કેસ, તેમજ સાબરકાંઠામાં 56 અને બનાસકાંઠામાં 21 કેસ નોંધાયા હતા. કોરોનાને લીધે આજે ત્રણના મોત નિપજ્યા હતા.જેમાં વલસાડ, સુરત, અને પોરબંદરમાં એક-એક વ્યક્તિના મોત નિપજ્યા હતા. રાજ્યના બોટાદ,છોટાઉદેપુર, અને પાટણમાં કોરોનાના એકપણ કેસ નોંધાયા નહતા

 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code