1. Home
  2. ગુજરાતી
  3.  ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના મોહસીન ખાન અનુપમામાં કરશે એન્ટ્રી?  
 ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના મોહસીન ખાન અનુપમામાં કરશે એન્ટ્રી?  

 ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના મોહસીન ખાન અનુપમામાં કરશે એન્ટ્રી?  

0
Social Share
  •  અનુપમામાં મોહસીન ખાનની થઇ શકે છે એન્ટ્રી
  • અનેરી વજાનીએ ‘અનુપમા’ શો છોડી દીધો
  • અનેરી વજાની ‘ખતરો કે ખિલાડી 12’માં જોવા મળી શકે છે

મુંબઈ:સ્ટાર પ્લસની પ્રખ્યાત સીરિયલ ‘અનુપમા’માં રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના અને સુધાંશુ પાંડે લીડ રોલમાં છે. આ શોમાં ગૌરવ ખન્ના અનુજ કાપડિયાની ભૂમિકામાં છે, જે અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. હવે આ શોને લઈને મોટા સમાચાર આવ્યા છે. શોમાં અનુજ કાપડિયાની બહેન માલવિકાના રોલમાં જોવા મળેલી અભિનેત્રી અનેરી વજાનીએ શોને અલવિદા કહી દીધું છે. અહેવાલ છે કે તે સ્ટંટ રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી 12’માં જોવા મળશે, તેથી તે આ શો છોડી રહી છે. તે જ સમયે, શો વિશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં કાર્તિકની ભૂમિકા ભજવીને ફેમસ થયેલા એક્ટર મોહસીન ખાન ‘અનુપમા’માં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે

‘અનુપમા’ ટીવીનો નંબર વન શો છે, દર્શકોમાં શોની લોકપ્રિયતા એટલી બધી છે કે આ શો ટીઆરપીની યાદીમાં હંમેશા નંબર વન પર રહે છે. શોમાં ઘણીવાર એવા ટ્વિસ્ટ અને ટર્ન્સ આવે છે કે લોકો આ શો સાથે જોડાયેલા રહે છે, સાથે જ લોકો અનુપમાની સ્ટોરી સાથે પણ પોતાને રિલેટ કરી શકે છે. શોમાં માલવિકાનું પાત્ર ભજવતી અભિનેત્રી અનેરી વજાનીના પાત્રને ચાહકોએ પસંદ કર્યું હતું, પરંતુ હવે તે ટૂંક સમયમાં તેને અલવિદા કહેવા જઈ રહી છે. બીજી તરફ, બીજા સમાચાર એ છે કે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’નો મોહસીન ખાન ‘અનુપમા’માં જોવા મળવાનો છે.

અહેવાલો અનુસાર, અનેરી વજાનીએ રૂપાલી ગાંગુલીના શો ‘અનુપમા’ને અલવિદા કહી દીધું છે, તેના વિશે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પરંતુ ‘અનુપમા’ના શૂટિંગ સેટ પરથી એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં મોહસિન ખાન અનેરી વજાની સાથે કુર્તા પાયજામા પહેરેલો જોવા મળી રહ્યો છે. તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મોહસીન શોમાં એન્ટ્રી કરશે. મોહસીન ખાને પોતે આ તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code