Homeગુજરાતીપૈગમ્બર વિવાદ મામલે બાંગલા દેશે ભારત સાથેની મિત્રતા નિભાવી - કહ્યું આ...

પૈગમ્બર વિવાદ મામલે બાંગલા દેશે ભારત સાથેની મિત્રતા નિભાવી – કહ્યું આ ભારતનો આતંરિક મામલો છે

  • બાંગલા દેશે પૈગમ્બર મામલે ન કરી દખલગીરી
  • કહ્યું આ ભારતનો આતંરિક મામલો છે

દિલ્હીઃ- દેશભરમાં જ્યા બીજેપી પૂર્વ નેતા નુપુર શર્માના નિવેદનને લઈને ધમાલ મચી રહી છે હિંસાઓ ફેલાઈ રહી છે જેને ઈસ્લામિક દેશો પણ સપોર્ટ કરી રહ્યા ચે કત્યારે આવી સ્થિતિમાં બાંગહલા દેશ એ ભારતની મિત્રતા નિભાવી છે

પયગંબર મોહમ્મદ પર ભાજપના બે ભૂતપૂર્વ નેતાઓની ટિપ્પણી પછી, ભારતમાં હંગામો થયો છે. શુક્રવારે 14 રાજ્યોના 90 થી વધુ વિસ્તારોમાં હિંસા, પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ જોવા મળી હતી. દરમિયાન બાંગ્લાદેશે આ મુદ્દાને ભારતનો આંતરિક મુદ્દો ગણાવ્યો છે.

બાંગ્લાદેશના વરિષ્ઠ મંત્રીએ કહ્યું કે અન્ય મુસ્લિમ દેશોની જેમ તેમના દેશમાં આ બાબત ખાસ ધ્યાન આપવાની બાબત નથી. તેમણે તે ટીકાને પણ ફગાવી દીધી, જેમાં દેશની સરકાર પર આ મામલા પર સમજોતા કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

આ મામલે  માહિતી અને પ્રસારણ મંત્રી હસન મહેમૂદે આ મુદ્દે કાનૂની પગલાં લેવા બદલ ભારત સરકારને અભિનંદન આપ્યા અને કહ્યું કે પૈગમ્બર મોહમ્મદ પર કરવામાં આવેલી કોઈપણ ટિપ્પણીની નિંદા થવી જોઈએ.ભારતીય પત્રકારોના એક જૂથ સાથે વાત કરતા તેમણે કહ્યું કે ભારતમાં આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે અને તેમને આશા છે કે આગળની કાર્યવાહી કરવામાં આવશે. 

કટ્ટરપંથીઓ વડાપ્રધાન શેખ હસીનાની સરકાર પર આ મામલે સમાધાન કરવાનો આરોપ લગાવી રહ્યા છે? આ સવાલ પર તેમણે કહ્યું કે, ‘પૈગમ્બર પર ટીપ્પણીના મામલે બાંગ્લાદેશની સરકાર સમાધાન કરી રહી નથી અને કરશે પણ નહીં. મેં પોતે તેની જાહેર સભામાં નિંદા કરી છે.

તેમણે વધુમાં કહ્યું કે, “આ આંતરિક મુદ્દો નથી પરંતુ બાહ્ય મુદ્દો છે. તે ભારતનો આંતરિક મુદ્દો છે. જ્યારે પણ વિશ્વમાં કંઈક થાય છે, ત્યારે કેટલાક ઇસ્લામિક પક્ષો વિરોધ કરે છે અને તે થતું રહે છે,” તેમણે કહ્યું હતું કે, તે કોઈ મુદ્દો નથી. આરબ દેશો, પાકિસ્તાન, મલેશિયા જેવા બાંગ્લાદેશમાં ખૂબ ધ્યાન આપવામાં આવ્યું છે જો કે આ મામલે સરકાર વતી પગલા લેવામાં આવ્યા તેની અમે સરકારને અભિનંદન પાઠવીે છીએ.

સંબંધિત લેખો

Most Popular