
ગુજરાતમાં કોરોનાના વધુ 572 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા વધીને 3595, રિકવરી રેટ 98.82 ટકા
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસોમાં બે દિવસ બાદ ફરી એકવાર વધારો થયો છે. મંગળવારે સાંજે પુરા થતાં 24 કલાક દરમિયાન કોરોનાના 572 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 489 દર્દી સાજા થયા હતા. એક્ટિવ કેસનો આંકડો 3595એ પહોંચ્યો છે, જ્યારે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.82 ટકા થયો છે. રાજ્યમાં મંગળવારે કોરોનાને લીધે એક પણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી.
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 34 હજાર 689ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 948 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 20 હજાર 146 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 3595 એક્ટિવ કેસ છે, 1 દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ 3594 દર્દીઓની હાલત સ્થિર છે. મંગળવારે સાંજ સુધીમાં પુરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના 572 નવા કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 249, સુરત શહેરમાં 82, વડોદરા શહેરમાં 41, ભાવનગર શહેરમાં 22, રાજકોટ શહેરમાં 21, વલસાડમાં 18, નવસારીમાં 16, જામનગર શહેરમાં 13, કચ્છમાં 12, સુરત ગ્રામ્યમાં 12, ગાંધીનગર શહેરમાં 9, મોરબીમાં 9, અમદાવાદ ગ્રામ્યમાં 8, ભરૂચમાં 8, પાટણમાં 8, ગાંધીનગર ગ્રામ્યમાં 7, મહેસાણામાં 7, રાજકોટ ગ્રામ્યમાં 5, આણંદમાં 4, ખેડામાં 4, અમરેલીમાં 3, પોરબંદરમાં 3, બનાસકાંઠામાં 2, ગીરસોમનાથમાં 2, તાપીમાં 2, જામનગર ગ્રામ્યમાં 1, જૂનાગઢ ગ્રામ્યમાં 1, પંચમહાલમાં 1, સાબરકાંઠામાં 1 અને વડોદરા ગ્રામ્યમાં 1 કેસનો સમાવેશ થાય છે.
રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો વધીને 3595 પર પહોચ્યો છે. આ પૈકી 1 દર્દી વેન્ટિલેટ પર છે. રાજ્યમાં સ્ટેબલ દર્દીની સંખ્યા 3594 છે. જ્યારે અત્યાર સુધીમાં 12,20,146 દર્દી સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,948 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ 67825 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી રાજ્યમાં રસીના કુલ 11.16 કરોડથી વધુ ડોઝ અપાયા છે તેમજ રાજ્યમાં કોરોના સામે સાજા થવાનો દર 98.82 ટકા પહોંચી ગયો છે જે રાહતની વાત છે.