1. Home
  2. ગુજરાતી
  3. શું તમે જાણો છો આંખોમાંથી આવતા આસુંના પણ 3 પ્રકાર હોય છે, પણ શા માટે આવે છે આંખોમાં આસું જાણો
શું તમે જાણો છો આંખોમાંથી આવતા આસુંના પણ 3 પ્રકાર હોય છે, પણ શા માટે આવે છે આંખોમાં આસું જાણો

શું તમે જાણો છો આંખોમાંથી આવતા આસુંના પણ 3 પ્રકાર હોય છે, પણ શા માટે આવે છે આંખોમાં આસું જાણો

0
Social Share
  • આંખોમાં આસું આવવાના ત્રણ પ્રકાર છે
  • રડવું પણ આરોગ્યને ફઆયદો કરાવે છે

રડવું અને હસવું આ બન્ને કુદરતી છે,જેમ કે રડા વખતે આસુ આવવા અને હસતા વખતે ખુશી મળી પણ ક્યારેક વિચાર આવ્યો છે કે રડે ત્યારે જ કેમ આસું આવે છે રડવું કોઈને ગમતું નથી, પરંતુ પ્રેમ અને ઉદાસીના આવા ઘણા પ્રસંગો છે જ્યારે લોકોની આંખોમાંથી આંસુ નીકળવા લાગે છે. માનવીની આંખમાંથી આંસુ માત્ર કોઈ દુ:ખ, મુસીબત કે અતિશય ખુશીના પ્રસંગે જ આવતા નથીઆંખોમાં આંસુ આવવા પાછળનું કારણ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે. તો ચાલો જાણીએ કેમ આવું થાય છે.

રડવાના પણ છે આ ફાયદા

એક મહત્વની વાત એ પણ છે કે રડવાથી પણ ઘણા ફાયદાઓ થાય છે ,તમને જાણીને નવાઈ લાગશે કે રડવાના ઘણા ફાયદા છે. જ્યારે તમે રડો છો, ત્યારે આના દ્વારા તમારા શરીરમાંથી ઝેરી પદાર્થો નીકળી જાય છે. થોડા સમય માટે રડવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે. તમે તણાવથી મુક્ત રહી શકો છો અને સારું અનુભવી શકો છો. રડતી વખતે આંખની કીકી અને પોપચા પ્રવાહી મેળવે છે.

વૈજ્ઞાનિકોએ આંસુને મુખ્યત્વે ત્રણ કેટેગરીમાં વહેંચ્યા છે.

આંસુની પ્રથમ શ્રેણી બેઝલ – આ બિન-ભાવનાત્મક આંસુ છે, જે આંખોને શુષ્ક થવાથી અટકાવીને સ્વસ્થ રાખે છે.

આસુંની બીજી શ્રેણી બિન-ભાવનાત્મક – આ આંસુ કોઈ ચોક્કસ ગંધની પ્રતિક્રિયાથી આવે છે, જેમ કે ડુંગળી કાપવાથી અથવા ફિનાઈલ જેવી તીવ્ર ગંધમાંથી આવતા આંસુ

આંસુની ત્રીજી શ્રેણી ક્રાઇંગ ટીયર્સ – જેમાં રડતા આંસુ ભાવનાત્મક પ્રતિભાવ તરીકે આવે છે.

માનવ મગજમાં એક લિમ્બિક સિસ્ટમ છે, જેમાં મગજનું હાયપોથેલેમસ છે. આ ભાગ નર્વસ સિસ્ટમ સાથે સીધા સંપર્કમાં હોય છે. આ સિસ્ટમનું ન્યુરોટ્રાન્સમીટર સિગ્નલ આપે છે અને આપણે લાગણીની ચરમસીમાએ રડીએ છીએ. વ્યક્તિ માત્ર દુ:ખમાં જ નહીં, ગુસ્સામાં કે ડરથી પણ રડવા લાગે છે અને તેની આંખમાંથી આંસુ આવવા લાગે છે.

આંખમાં આંસુ આવવાનું સૌથી મોટું કારણ ડુંગળીમાં રહેલું કેમિકલ છે. તેને સિન-પ્રોપેન્થિલ-એસ-ઓક્સાઇડ કહેવામાં આવે છે. જ્યારે ડુંગળી કાપવામાં આવે છે, ત્યારે તેમાં રહેલું આ કેમિકલ આંખોમાં હાજર લેક્રિમલ ગ્રંથિને ઉત્તેજિત કરે છે, જેના કારણે આંખોમાંથી આંસુ આવવા લાગે છે. જો તમે ઈચ્છો છો કે ડુંગળી કાપતી વખતે આંસુ ન આવે તો આ માટે તેને કાપવાની પદ્ધતિ બદલવી પડશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code