1. Home
  2. ગુજરાતી
  3. 10 વર્ષમાં 16 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી,આ વર્ષે 1,83,741 લોકોએ છોડ્યો દેશ
10 વર્ષમાં 16 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી,આ વર્ષે 1,83,741 લોકોએ છોડ્યો દેશ

10 વર્ષમાં 16 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી,આ વર્ષે 1,83,741 લોકોએ છોડ્યો દેશ

0
Social Share

દિલ્હી:ભારતીયો તેમની ભારતની નાગરિકતા છોડી રહ્યા છે અને અન્ય દેશોમાં સ્થાયી થઈ રહ્યા છે. આ અંગે સરકારે સંસદમાં ચોંકાવનારો આંકડો રજૂ કર્યો છે.વિદેશ મંત્રાલયે કહ્યું કે,2011થી અત્યાર સુધીમાં 1.6 મિલિયન એટલે કે 16 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી છે. આ વર્ષે 31 ઓક્ટોબર સુધીમાં 1,83,741 ભારતીયોએ તેમની નાગરિકતાનો ત્યાગ કર્યો છે. શુક્રવારે લોકસભામાં વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને આ માહિતી આપી હતી.કોંગ્રેસના સાંસદ દ્વારા 2015 થી કેટલા ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે તે પૂછવા પર – મંત્રીએ છેલ્લા આઠ વર્ષના આંકડા રજૂ કર્યા.

વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને કહ્યું કે,2015માં 1,31,489 ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી હતી.આ સિવાય 2016માં 1,41,603, 2017માં 1,33,049, 2018માં 1,34,561, કોરોના મહામારી પહેલા 2019માં 1,44,017 ભારતીયો વિદેશ ગયા હતા.આ પછી, 2020 માં, 86,256 ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી.તે જ સમયે, મહામારીના અંત પછી, 2021 માં, આ આંકડો 1.5 લાખને વટાવી ગયો અને 1,63,370 પર પહોંચી ગયો.હવે 2022 માં, ઓક્ટોબર મહિના સુધી, 1,83,741 ભારતીયો દેશ છોડી ગયા છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2011માં આ આંકડો 1,22,819, 2012માં 1,20,923, 2013માં 1,31,405 અને 2014માં 1,29,328 હતો.જો મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આંકડાઓ ઉમેરીએ તો ખબર પડે છે કે,2011થી અત્યાર સુધીમાં 1.6 મિલિયન એટલે કે 16 લાખ ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે અને વિદેશમાં સ્થાયી થયા છે.કોંગ્રેસ સાંસદે એ પણ પૂછ્યું હતું કે વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયોએ દેશમાંથી કેટલા પૈસા લીધા છે, મંત્રીએ કહ્યું કે મંત્રાલય પાસે તેના આંકડા નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code