Homeગુજરાતીપ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ એ રક્ષાબંઘનના પર્વ પર દેશવાસીઓને પાઠવી...

પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ એ રક્ષાબંઘનના પર્વ પર દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ

દિલ્હીઃ આજરોજ 30 ઓગસ્ટના દિવસે આખો દેશ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંઘનની ઉજવણી કરી રહ્યો છે દેશભરમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ છે ત્યારે દેશના પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રક્ષા બંઘનના પાવન પર્વ પર દેશવાસીઓને ખાસ શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે.

ઉલ્લેખનીય છે કે  રક્ષાબંધન અને ઓણમના શુભ અવસર પર પીએમ મોદીએ દેશની માતાઓ અને બહેનોને મોટી ભેટ આપી હતી. હવે ગેસ સિલિન્ડરના ભાવમાં તમામ ગ્રાહકોને 200 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે. આ નિર્ણય સાથે, ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ ગેસ સિલિન્ડરની કુલ સબસિડી હવે 400 રૂપિયા થઈ જશે.

 

સંબંધિત લેખો

Most Popular