1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત સરકારે જારી કર્યો પરિપત્ર, હવે હિન્દુમાંથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા પણ મંજુરી લેવી પડશે
ગુજરાત સરકારે જારી કર્યો પરિપત્ર, હવે હિન્દુમાંથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા પણ મંજુરી લેવી પડશે

ગુજરાત સરકારે જારી કર્યો પરિપત્ર, હવે હિન્દુમાંથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા પણ મંજુરી લેવી પડશે

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં ધર્મ પરિવર્તન સામે કડક કાયદો બનેલો છે. ધર્મ પરિવર્તન માટે જિલ્લા મેજિસ્ટેટ યાને કલેક્ટરની મંજુરી જરૂરી છે. બળજબરીથી તો ધર્મ પરિવર્તન કરાતું નથી ને તેની ખાસ તપાસ કર્યા બાદ જ મંજુરી આપવામાં આવતી હોય છે. જો કે હિન્દુમાંથી બોદ્ધ ધર્મમાં પરિવર્તન કરાતું હોવા છતાં તેની મંજુરી લેવામાં આવતી નથી. આવી ફરિયાદો મળ્યા બાદ તાજેતરમાં ગુજરાત સરકારે પરિપત્ર જારી કર્યો છે. જેમાં સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં ધર્માતર કરે છે, તો તેમણે પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડશે. બૌદ્ધ ધર્મ એક અલગ ધર્મ છે. જો કોઈ એક વ્યક્તિ પોતાનો ધર્મ બદલીને હિન્દુ, બૌદ્ધ, શીખ અથવા જૈન ધર્મનો અંગીકાર કરે છે, તો તેમણે ગુજરાત સ્વાતંત્ર્ય અધિનિયમ 2003ની જોગવાઈ હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડશે.

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં જ આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, ‘સરકારના ધ્યાનમાં આવ્યું છે કે નિયમો અનુસાર બૌદ્ધ ધર્મમાં પરિવર્તન માટે અરજીઓ કરવામાં આવી રહી નથી. ગુજરાતમાં દર વર્ષે દશેરા અને અન્ય તહેવારો નિમિત્તે આયોજિત કાર્યક્રમોમાં લોકોને બૌદ્ધ ધર્મ અપનાવવામાં આવતા હતા અને નિયમોનું પાલન થતું ન હતું. અરજદારો ક્યારેક એવું કહેતા જોવા મળ્યા હતા કે હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં પરિવર્તન માટે મંજૂરીની જરૂર નથી.’ પરિપત્ર અનુસાર, જે કેસોમાં ધર્મ પરિવર્તન માટે પહેલા મંજૂરી માંગતી અરજીઓ દાખલ કરવામાં આવે છે, સંબંધિત કચેરીઓ આવી અરજીઓનો નિકાલ એમ કહીને કરે છે કે બંધારણના અનુચ્છેદ 25(2) હેઠળ શીખ, જૈન અને બૌદ્ધ ધર્મ હિન્દુ ધર્મ હેઠળ આવે છે અને તેથી અરજદાર આ અરજીઓનો નિકાલ કરે છે, જેથી આવા ધર્મ પરિવર્તન માટે પહેલા મંજૂરી લેવાની જરૂર નથી. આથી પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. કે, ગુજરાત ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ મુજબ બૌદ્ધ ધર્મને અલગ ધર્મ ગણવામાં આવશે. જે વ્યક્તિ અન્ય વ્યક્તિને હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ, શીખ અથવા જૈન ધર્મ અંગીકાર કરે છે તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટની પહેલા મંજૂરી લેવી પડશે. આ ઉપરાંત ધર્મ પરિવર્તન કરનારા વ્યક્તિએ જિલ્લા મેજિસ્ટ્રેટને નિયત ફોર્મેટમાં માહિતી આપવાની રહેશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code