1. Home
  2. revoinews
  3. જીવનનો સંધ્યાકાળનો સુરજ, સ્વાભિમાનની એક નવી સવારની કહાની
જીવનનો સંધ્યાકાળનો સુરજ, સ્વાભિમાનની એક નવી સવારની કહાની

જીવનનો સંધ્યાકાળનો સુરજ, સ્વાભિમાનની એક નવી સવારની કહાની

0
Social Share

સાંજના સાત વાગ્યા હતા. દિવસભરના કામથી થાકેલો રમેશ ધીમે પગલે ઘરમાં પ્રવેશ્યો. બહારથી તો બધું સામાન્ય લાગતું હતું, પરંતુ તેની આંખોમાં એક અજાણી વ્યાકુળતા છુપાયેલી હતી. ચહેરા પર થાક કરતાં વધારે ચિંંતા બોલતી હતી.

૪૦ વર્ષનો રમેશ એક ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. નોકરી સ્થિર હતી, આવક નિયમિત હતી, ઘરનું ગુજરાન પણ સારી રીતે ચાલતું હતું. પત્ની સુધા સમજદાર અને સહયોગી હતી. બે બાળકો ભણવામાં હોશિયાર હતા. બહારથી જોનારને લાગતું કે રમેશનું જીવન ગોઠવાયેલું છે. છતાં, આજે તેના મનમાં એક એવો પ્રશ્ન ઊભો થયો હતો, જે અનેક મધ્યમવર્ગીય પરિવારોને અંદરથી ખાઈ જાય છે.

આજે ઓફિસથી ઘરે આવતાં પહેલાં તે બાજુમાં રહેતા સુરેશકાકાને મળવા ગયો હતો. ૬૫ વર્ષના સુરેશકાકા આખી જિંદગી મહેનત કરી હતી. કોઈ ખોટી આદત નહોતી, પરિવાર માટે બધું ત્યાગ્યું હતું. છતાં, આજે દવાની ૫૦૦ રૂપિયાની જરૂર પડે ત્યારે તેમને પોતાના દીકરા સામે હાથ લંબાવવો પડ્યો હતો. દીકરો ખરાબ નહોતો, પરંતુ તેની પોતાની જવાબદારીઓ હતી.

સુરેશકાકાની આંખોમાં દેખાતી લાચારી રમેશના મનમાં ઊંડે સુધી ઉતરી ગઈ હતી.

ઘરની ચાર દિવાલોમાં ઊઠેલો મોટો પ્રશ્ન

સુધાએ પાણીનો ગ્લાસ આપતા પૂછ્યું, “આજે કંઈ અલગ જ લાગે છે. બધું ઠીક તો છે ને?”

રમેશે સોફા પર બેસીને લાંબો શ્વાસ લીધો.

“સુધા, આજે સુરેશકાકાને જોયા. આખી જિંદગી કામ કર્યું, છતાં આજે પોતાનો ખર્ચ પણ પોતે નથી ઉઠાવી શકતા. મને ડર લાગે છે. ૨૦ વર્ષ પછી આપણે ક્યાં ઊભા હોઈશું?”

સુધા મૌન રહી ગઈ. આ પ્રશ્ન નવો નહોતો, પરંતુ આજે પહેલીવાર તે ખુલ્લેઆમ સામે આવ્યો હતો.

“હું ખાનગી નોકરીમાં છું,” રમેશ બોલ્યો, “કોઈ સરકારી પેન્શન નથી. શરીર ચાલશે ત્યાં સુધી નોકરી, પછી શું?”

આ પ્રશ્ન માત્ર રમેશનો નહોતો. તે દરેક પ્રાઇવેટ નોકરી કરતા, સ્વરોજગાર કરતા વ્યક્તિનો પ્રશ્ન હતો.

સમજદાર પગલું

બીજા દિવસે રવિવાર હતો. રમેશે પોતાના મિત્ર અને અનુભવી વીમા સલાહકાર મિસ્ટર મહેતાને ઘરે બોલાવ્યા. મહેતા સાહેબ છેલ્લા ૧૫ વર્ષથી લોકોને આર્થિક આયોજનમાં માર્ગદર્શન આપતા હતા. તેઓ માત્ર પોલિસી વેચનાર નહીં, પરંતુ ભવિષ્ય ગોઠવનારા માર્ગદર્શક હતા.

ચા-નાસ્તા પછી રમેશે પોતાની ચિંતા ખુલ્લેઆમ કહી.

“મહેતા સાહેબ, મને વૃદ્ધાવસ્થામાં કોઈના આધાર પર જીવવું નથી. શેરબજારનું જોખમ પણ નથી લેવું. મને ગેરંટી જોઈએ, શાંતિ જોઈએ.”

મહેતા સાહેબ હળવા સ્મિત સાથે બોલ્યા,

“રમેશભાઈ, તમારી વાત સાંભળી મને આનંદ થયો. કારણ કે ચિંતા કરનાર નહીં, પરંતુ આયોજન કરનાર જ સાચો બુદ્ધિશાળી હોય છે.”

ડિફર્ડ એન્યુઇટી પ્લાન: ભવિષ્ય માટેની સમજદારી

“તમારા માટે એક ઉત્તમ વિકલ્પ છે,” મહેતા સાહેબ બોલ્યા,

“ડિફર્ડ એન્યુઇટી પ્લાન.”

રમેશે થોડી આશ્ચર્યભરી નજરે પૂછ્યું,

“એ શું છે?”

“આજે બચત, કાલે પેન્શન”

“સરળ ભાષામાં કહું તો,” મહેતા સાહેબ સમજાવતાં બોલ્યા, “આ એક એવી યોજના છે જેમાં તમે તમારી કમાણીના વર્ષોમાં નિયમિત બચત કરો છો અને નિવૃત્તિ પછી તમને જીવનભર ગેરંટી આવક મળે છે.”

એક્યુમ્યુલેશન પિરિયડ: સમય તમારી તરફ

ડિફર્ડ એન્યુઇટી પ્લાનમાં બે તબક્કા હોય છે.

પહેલો, પૈસા જમા કરવાનો સમય.

બીજો, પેન્શન મળવાનો સમય.

તમે આજે પોલિસી લો અને ૫થી ૪૦ વર્ષ સુધી પૈસા જમા કરો.

પેન્શન શરૂ થવાની ઉંમર સામાન્ય રીતે ૫૦થી ૮૦ વર્ષની વચ્ચે રાખી શકાય છે.

અર્થાત જેટલો લાંબો સમય, તેટલું મોટું ભંડોળ.

પ્રીમિયમમાં સુગમતા: દરેક માટે શક્ય

સુધાએ પૂછ્યું, “પણ આ બધું અમારું બજેટ સંભાળી શકે?”

મહેતા સાહેબે સ્પષ્ટ કહ્યું, “આ યોજના અમીર માટે નહીં, સમજદાર માટે છે.”

એકસાથે પ્રીમિયમ ભરવાનો વિકલ્પ

૫, ૭, ૧૦, ૧૫ વર્ષ સુધી હપ્તામાં ભરવાનો વિકલ્પ

વાર્ષિક ૨૫,૦૦૦થી શરૂઆત શક્ય મતલબ નાની શરૂઆત પણ મોટું ભવિષ્ય બનાવે છે.

જોખમ વગરની ગેરંટી: મનની શાંતિ

“શેરબજાર જેવું જોખમ?” રમેશે પૂછ્યું.

“બિલકુલ નહીં,” મહેતા સાહેબે દ્રઢપણે કહ્યું.

આ પ્લાન માર્કેટથી અલગ છે. માર્કેટ ઊંચું જાય કે નીચે પડે, તમારી આવક પર કોઈ અસર નથી.

જેમ કે- જેમ વચન, તેમ પેન્શન.

મૃત્યુ લાભ: પરિવારની ચિંતા નહીં

“જો પેન્શન શરૂ થાય તે પહેલાં કંઈ થઈ જાય તો?”

રમેશે હિંમત કરીને પૂછ્યું.

મહેતા સાહેબે શાંતિથી કહ્યું, “તમારા પૈસા ડૂબતા નથી.”

પેન્શન પહેલા મૃત્યુ થાય તો સંપૂર્ણ જમા રકમ નોમિનીને

ઘણી યોજનામાં ૧૦૫% સુધી ગેરંટી

Joint Life વિકલ્પમાં જીવનસાથીને આજીવન પેન્શન

એટલે તમારી ગેરહાજરીમાં પણ પરિવાર સુરક્ષિત.

નિવૃત્તિ પછીનું જીવન: આવક બંધ નહીં

૬૦ વર્ષની ઉંમર પછી પણ દર મહિને ખાતામાં પૈસા આવે, તે કલ્પના જ કેટલો આત્મવિશ્વાસ આપે છે.

માસિક

ત્રિમાસિક

અર્ધવાર્ષિક

વાર્ષિક મતલબ પગાર બંધ, પણ આવક ચાલુ.

કરલાભ: સરકારની સહાય

પ્રીમિયમ પર 80CCC હેઠળ ટેક્સમાં છૂટ

નિવૃત્તિ સમયે આશરે ૬૦% રકમ એકમુશ્ત

બાકીની રકમમાંથી ગેરંટી પેન્શન એટલે બચત પણ, સુવિધા પણ.

આ યોજના કોના માટે છે?

પ્રાઇવેટ નોકરી કરતા લોકો

સ્વરોજગાર કરતા વેપારી, ડોક્ટર, વકીલ

જેમને કોઈ સરકારી પેન્શન નથી

જેમને જોખમ વગર શાંતિ જોઈએ એટલે વૃદ્ધાવસ્થાની સંજીવની.

નિર્ણય: ભવિષ્યને આજે મજબૂત કરવું

રમેશે વિચાર કર્યો. મહિને ૫,૦૦૦ રૂપિયા બચાવવું અશક્ય નહોતું. ૨૦ વર્ષમાં તે બચત જીવનની સૌથી મોટી તાકાત બની શકે તેમ હતી.

સુધાની આંખોમાં પણ હવે ભય નહોતો, વિશ્વાસ હતો.

“મહેતા સાહેબ,” રમેશે કહ્યું, “આજે જ શરૂ કરીએ.”

સમાપન: સ્વાભિમાન સુરક્ષિત

ફોર્મ પર સહી કરતી વખતે રમેશે અનુભવ્યું કે તે માત્ર પોલિસી નથી લેતો, પરંતુ પોતાના સ્વાભિમાનને સુરક્ષિત કરી રહ્યો છે.

વૃદ્ધાવસ્થાની સાંજમાં પણ સુરજ અસ્ત થતો નથી, જો આયોજન સમયસર કરવામાં આવે.

બોધ: આજે વિચારશો, તો કાલે શાંતિ મળશે

જોખમ વગરની બચત

ગેરંટી પેન્શન

પરિવાર માટે સુરક્ષા

આત્મસન્માનથી જીવવાની ખાતરી

નિવૃત્તિ કોઈ અંત નથી, જો તૈયારી હોય તો તે જીવનની નવી શરૂઆત છે.

આજે વાવશો, તો કાલે લણશો.

નિવૃત્તિનું આયોજન, એ જ સાચી સમજદારી.

- હેમંત પરમાર ​દ્વારા
– હેમંત પરમાર ​દ્વારા
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code