HomeગુજરાતીટેકનોલોજીPM નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં સેમિકોન ઇન્ડિયા 2026નું ઉદ્ઘાટન કરશે

PM નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં સેમિકોન ઇન્ડિયા 2026નું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 10 વાગ્યાની આસપાસ યશોભૂમિ, નવી દિલ્હી ખાતે સેમીકોન ઈન્ડિયા 2026નું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે ઉપસ્થિત લોકોને પણ સંબોધિત કરશે. 17 થી 19 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાનારી આ ત્રણ દિવસીય પરિષદ અને પ્રદર્શનનું આયોજન ‘સિલિકોન ટુ સિસ્ટમ્સ: બિલ્ડિંગ ધ ઈકોસિસ્ટમ’ થીમ પર કરવામાં આવશે. તે સેમિકન્ડક્ટર અને ઈલેક્ટ્રોનિક્સ વેલ્યુ ચેઈનમાંથી વૈશ્વિક અને ભારતીય કંપનીઓ, નીતિ ઘડવૈયાઓ, રોકાણકારો, સંશોધકો, સ્ટાર્ટ-અપ્સ, શૈક્ષણિક સંસ્થાઓ અને વિદ્યાર્થીઓને એક મંચ પર લાવશે. પરિષદ ભારતમાં સહયોગ, રોકાણ, નવીનતા અને પ્રતિભા વિકાસને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સમાંતર સત્રોમાં ડિસ્પ્લે ઉદ્યોગમાં પ્રગતિ, સહયોગ અને સંયુક્ત સાહસો (જોઈન્ટ વેન્ચર્સ) ને સુગમ બનાવવા માટે રચાયેલ છ કન્ટ્રી રાઉન્ડટેબલ્સ, મહિલા નેતૃત્વ પર એક મંચ, અન્ય સત્રો વચ્ચે આવરી લેવામાં આવશે.

સેમીકોન ઈન્ડિયા 2026 એક વ્યાપક વેલ્યુ-ચેઈન અભિગમ અપનાવશે, જે સેમિકન્ડક્ટર સામગ્રી, ઉપકરણો અને ચિપ ડિઝાઇનથી લઈને ફેબ્રિકેશન, એડવાન્સ્ડ પેકેજિંગ, ઈલેક્ટ્રોનિક્સ અને સિસ્ટમ્સ સુધીની મુસાફરી દર્શાવશે. નવો ‘સેન્ડ ટુ સિલિકોન ટુ સિસ્ટમ્સ’ વેલ્યુ ચેઈન અનુભવ સેમિકન્ડક્ટર ઈકોસિસ્ટમમાં આ મુસાફરી રજૂ કરશે. સેમીકોન ઈન્ડિયા 2026 માં 600થી વધુ ભાગ લેનારી કંપનીઓ હશે અને 52 દેશોના પ્રતિનિધિઓ, 400થી વધુ એક્ઝિક્યુટિવ્સ અને 150થી વધુ વક્તાઓ સાથે આશરે 50,000 મુલાકાતીઓને આકર્ષવાની અપેક્ષા છે. પ્રદર્શનમાં જાપાન, સાઉથ કોરિયા, મલેશિયા, નેધરલેન્ડ, સિંગાપોર અને સ્વીડનનું પ્રતિનિધિત્વ કરતા છ કન્ટ્રી પેવેલિયન સાથે 12 સ્ટેટ બૂથ, સ્ટાર્ટઅપ પેવેલિયન, ઈનોવેશન શોકેસ, સ્ટુડન્ટ હેકાથોન અને વર્કફોર્સ ડેવલપમેન્ટ પેવેલિયન પણ હશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular