
ગાંધીનગરઃ ગુજરાતના પ્રાથમિક શિક્ષકો માટે બદલીના નિયમો બદલાય તેવી શક્યતા છે. શિક્ષકોની બદલી અને ભરતીના પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકારે 15 સભ્યોની કમિટી બનાવી છે. જેને પગલે શિક્ષકોની બદલીના નિયમમાં ફેરફાર થવાની શક્યતા છે. આગામી તા. 1 લી માર્ચેના રોજ કમિટીની બીજી બેઠક મળશે. ગત શુક્રવારે મળેલી પ્રથમ બેઠકમાં સૂચનો લાવવાનું હોમવર્ક અપાયું હતું. સરકારે 15 સભ્યોની કમિટી બનાવી છે, જેમાં સભ્યોની કમિટીમાં શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવ, ઉપસચિવ, સંયુક્ત શિક્ષણ નિયામક, નાયબ નિયામક (ભરતી), 7 DEO-DPEO અને 4 TPEOનો સમાવેશ કરવામાં આવ્યો છે. જુદી જુદી જોગવાઈઓમાં 250 થી વધારે પિટીશન હાઈકોર્ટમાં કરાઈ છે. જેમાંથી હાલમાં 117 જેટલી પીટિશન પેન્ડિંગ છે. જેને લઈને સરકારે શિક્ષકોની જિલ્લા આંતરિક બદલી કેમ્પ મોકૂફ રાખવા પડ્યા હતા. સૌથી મોટી સમસ્યા શિક્ષકોની નોકરીમાં બદલીના કેમ્પોને લઈને છે. શિક્ષકો બદલીના નિયમોને લઈને હવે કડક બન્યા છે. એવા પણ આક્ષેપો છે કે સરકારમાંથી મામકાંઓને બદલી આપી દેવાય છે જેને પગલે વર્ષોથી રાહ જોતા શિક્ષકોની બદલીઓ થતી નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીના નવા ઘડાયેલા નિયમોનો મામલો હાઈકોર્ટ સુધી મામલો પહોંચ્યો હતો. શિક્ષકોની અટકી પડેલી બદલી અને શિક્ષકોની નવી ભરતીને લઈ નિવેડો લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કમિટીની રચના કરવામાં આવી હતી. ગઈ ગત 14મી ઓક્ટોબર-2022૨ના રોજ પ્રસિધ્ધ થયેલા સુધારા ઠરાવ સામે વાંધો પડતાં શિક્ષકો કોર્ટમાં પહોંચ્યા હતા. જેથી આ ઠરાવમાં પણ ફરી સુધારો થાય તેવી સંભાવના છે. બદલીના નિયમોમાં ફેરફાર થાય તો આગામી દિવસોમાં નવા કેવા નિયમો આવે છે એની પર પણ મોટો આધાર રહેશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શિક્ષણ વિભાગે તૈયાર કરેલી આ કમિટીની પ્રથમ બેઠક ગત શુક્રવારના રોજ ગાંધીનગર સ્થિત GCERTમાં યોજાઈ હતી. જેમાં કમિટીના અધ્યક્ષ દ્વારા સભ્યોને નિરાકરણ માટે યોગ્ય સૂચન લાવવા માટે હોમવર્ક અપાયું હતું. જોકે હવે બીજી બેઠક ૧ લી માર્ચના GCERT ખાતે જ મળશે. બેઠક અગાઉ સુધારા કરવા માટે લીગલ અભિપ્રાય માંગ્યા બાદ આગામી કાર્યવાહી કરાઈ શકે છે. રાજ્ય સરકારે આ મામલો હાઈકોર્ટમાં પહોંચતાં બદલી કેમ્પો પણ રદ કરી દેવા પડ્યા છે. સરકાર આ મામલાનું નિરાકરણ લાવવા માગે છે, હવે 1માર્ચે બેઠકમાં આ મામલાનો નિવેડો આવી શકે તેમ છે. (FILE PHOTO)