1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુના પહેલગામ પાસે ITBP નાં 39 જેટલા જવાનોની ભરેલી બસ ખીણમાં ખાબકી- 6 જવાનો શહીદ
જમ્મુના પહેલગામ પાસે ITBP નાં 39 જેટલા જવાનોની ભરેલી બસ ખીણમાં ખાબકી- 6 જવાનો શહીદ

જમ્મુના પહેલગામ પાસે ITBP નાં 39 જેટલા જવાનોની ભરેલી બસ ખીણમાં ખાબકી- 6 જવાનો શહીદ

0
Social Share
  • જમ્મુ કાશ્મીરમાંITBP ના જનાવોની બસને નડ્યો અકસમ્તા
  • બસ ખીણમાં ખાબકી, 6 જવાન થયા શહીદ
  • પહેલગામની ચંદનાવાજી નજીક સર્જાય દૂર્ઘટના

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરના પહેલગામ પાસે ચંદનવાડી વિસ્તારમાં આઈટીબીપી જવાનોથી ભરેલી બસ ખીણમાં ખાબકી હતી,. આ અકસ્માત એટલો ભયંકર હતો કે બસમાં સવાર 39 જેટલા જવાનામાંથી 6 જનાવો શહીદ થયા હોવાની માહિતી મળી રહી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે તમામ જવાનો અમરનાથ યાત્રાની ડ્યુટી પર હતા. અમરનાથ યાત્રા પૂરી થયા બાદ જવાનો પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બ્રેક ફેલ થતાં બસ નદીમાં ખાબકવાની ઘટના બની હતીય

બસ ખીણમાં ખાબકતા આ ઘટનામાં 30 જવાનો ઘાયલ થયાના પણ સમાચાર મળી રહ્યા છે.હાલ ઘટના સ્થળે મોટાપાયે બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. આ સાથે જ જવાન ખઘાયલોને હોસ્પિટલ સારવાર અર્થે પહોંચાડવામાં આવી રહ્યા છએ જે માટે ઘટના સ્થળે 19 જેટલી  એમ્બ્યુલન્સ આવી પહોંચી છે.

આ અકસ્માત ત્યારે સર્જાયો હતો જ્યારે આઈટીબીપીના જવાનોને આ બસ ચંદનવાડીથી પહેલગામ લઈ જઈ રહી હતી. ઘટનાનું કારણે બ્રેક ફેલ થી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ બસમાં 37 જવાન ITBPના અને બે જવાન જમ્મુ-કાશ્મીર પોલીસના હતા.જેમાંથી 6 જવાનોના ઘટનામાં મોત થતા તેઓ શહીદ થયા છે,બાકીના ઘાયલ જવાનોનેશ્રીનગરની આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code