અમદાવાદઃ રાજ્યમાં કોરોના કેસ 14 હજારને વટાવી ગયા બાદ કમશઃ કોરોનાના કેસ ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 12,978 કેસ નોંધાયા છે, જે 1 મેના રોજ નોંધાયેલા 13,847 કરતા 869 કેસ ઓછા છે. આજે કોરોનાને લીધે 153 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદમાં 26, સુરતમાં 9, વડોદરામાં 11, અને રાજકોટમાં 10ના મોત નિપજ્યા હતા. જ્યારે સતત ત્રીજા દિવસે 10 હજારથી વધુ એટલે કે 11,146 દર્દીએ કોરોનાને માત આપી છે, કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 74.05 ટકા થયો છે.
રાજ્યમાં આજે કોરોનાના 12,978 કેસ નોંધાયા હતા જેમાં અમદાવાદ શહેરમાં 4683, અને જિલ્લામાં 61, સુરત શહેરમાં 1494, અને જિલ્લામાં 389, વડોદરા શહેરમાં 523, અને જિલ્લામાં 212, રાજકોટ શહેરમાં 401, અને જિલ્લામાં 127, ભાવનગર શહેરમાં 436, અને જિલ્લામાં 222, જામનગર શહેરમાં 398, અને જિલ્લમાં 309, મહેસાણામાં 565, ખેડા 174, બનાસકોંઠા 226, પાટણ 173, અમરેલી 119 મળીને કુલ 12,978 કોસ નોંધાયા હતા. રાજ્યમાં 1 લાખ 27 હજાર 9ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 98 લાખ 73 હજાર 963 લોકોને પ્રથમ ડોઝ અને 25 લાખ 57 હજાર 405 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 24 લાખ 31 હજાર 368નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 18થી 44 વર્ષના 25 હજાર 712ને પ્રથમ ડોઝનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.
રાજ્યમાં છેલ્લા 92 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 5 લાખ 94 હજાર 602ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 7,508 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 4 લાખ 40 હજાર 276 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1,46,818 એક્ટિવ કેસ છે, જેમાંથી 722 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1,46,096 દર્દીની હાલત સ્થિર છે.