1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં શહીદ પોલીસ કર્મીના પુત્ર પર આતંકવાદીએ કર્યું ફાયરિંગ 
જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં શહીદ પોલીસ કર્મીના પુત્ર પર આતંકવાદીએ કર્યું ફાયરિંગ 

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં શહીદ પોલીસ કર્મીના પુત્ર પર આતંકવાદીએ કર્યું ફાયરિંગ 

0
Social Share

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો

એક વ્યક્તિનું ગોળી વાગવાથી મોત

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં સતત આતંકીઓ ઘટના બનતી રહેતી હોય છે ત્યારે વિતેલા દિવસની સાંજે અનંતનાગમાં આતંકી હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે જાણકારી પ્રમાણે અનંતનાગના બિજબિહારના હસનપોરા તવેલા વિસ્તારમાં શુક્રવારે સાંજે આતંકીઓએ હુમલો કર્યો હતો. 

આ  ફાયરિંગમાં શહીદ હેડ કોન્સ્ટેબલનો પુત્ર ઘાયલ થયો હતો. તેને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.આ હુમવો મસ્જિદની બહાર થયો હતો આતંકવાદી હુમલામાં આસિફ ગનાઈને ગોળી વાગી હતી, જેને સારવાર માટે મોકલવામાં આવ્યો છે. આતંકી હુમલા બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને હુમલાખોરોની શોધ કરવામાં આવી રહી છે.

જમ્મુ અને કાશ્મીર પોલીસે ટ્વિટ કર્યું કે અનંતનાગમાં બિજબેહરાના હસનપોરા તવેલા વિસ્તારમાં મસ્જિદની બહાર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો. જેમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી.

શુક્રવારે આરએસ પુરામાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર સ્થિત દેવીગઢ ગામમાંથી ગુબ્બારા સાથેનું બેનર મળી આવ્યું હતું. ખેડૂતોએ આ બેનર જમીન પર પડેલા ફુગ્ગાઓ સાથે દેવીગઢ ખાતે બોર્ડર સિક્યોરિટી ફોર્સના 42મા કોર્પ્સના જવાનોને સોંપ્યા હતા.ફુગ્ગાઓ સાથે બાંધેલા, બેનર પર બીકન હાઉસ સ્કૂલ સિયાલકોટ કેમ્પસ એન્યુઅલ સ્પોર્ટ્સ ગાલા 2023 લખેલું હતું. 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code