1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં કોરોનાની સંભવિત સ્થિતિ સામે તૈયારીની સમીક્ષા કરવા હોસ્પિટલોમાં બે દિવસ મોકડ્રીલ યોજાશે
ગુજરાતમાં કોરોનાની સંભવિત સ્થિતિ સામે તૈયારીની સમીક્ષા કરવા હોસ્પિટલોમાં બે દિવસ મોકડ્રીલ યોજાશે

ગુજરાતમાં કોરોનાની સંભવિત સ્થિતિ સામે તૈયારીની સમીક્ષા કરવા હોસ્પિટલોમાં બે દિવસ મોકડ્રીલ યોજાશે

0
Social Share

અમદાવાદ:  દેશ અને ગુજરાતમાં છેલ્લા એક-દોઢ મહિનાથી કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે  કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોરોના અંગે  આરોગ્ય મંત્રીઓની વર્ચુઅલી બેઠક યોજી હતી. તેમણે રાજ્યોના આરોગ્ય મંત્રીઓ અને આરોગ્ય સચિવ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ જોડાયા હતા. આ બેઠકમાં હોસ્પિટલોમાં ટેસ્ટિંગ અને મોકડ્રીલ અંગે ચર્ચા થઇ હતી. આરોગ્ય વિભાગ, નીતિ આયોગ અને અન્ય અધિકારીઓ પણ આ વર્ચ્યુઅલી બેઠકમાં જોડાયા હતા. કેટલાંક રાજ્યોમાં કેસ ઝડપથી વધી રહ્યા છે, ત્યાં ટેસ્ટિંગ અને મોનિટરિંગ કેવી રીતે ચાલી રહ્યું છે, મોક ડ્રીલ માટે કેવા પ્રકારની તૈયારીઓ છે, રાજ્યો પાસે વેક્સિન અને દવાઓનો કેટલો સ્ટોક છે, આ તમામ બાબતો પર બેઠકમાં ચર્ચા થઈ હતી.

રાજ્યમાં કોરોના  અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,  XBB 1.6 સબ વેરિયન્ટ હાલ રાજ્યમાં જોવા મળ્યો છે. દેશમાં અને રાજ્યમાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે અને હાલ રાજ્યમાં 2141 એક્ટિવ કેસ છે. કોરોના સામે લડવા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામીં આવી છે. અને  આગામી 10 અને 11મી એપ્રિલે રાજ્યની કોરોના હોસ્પિટલોમાં મોક ડ્રીલ કરવામાં આવશે. કોરોનાના કેસ વધે તો પણ આરોગ્ય વિભાગ તૈયાર છે. જો કે, ગયા અઠવાડિયા કરતાં આ ચાલુ અઠવાડિયામાં કોરોના કેસો ઘટ્યા છે. હાલ કેન્દ્ર પાસે વેક્સિનની માગ કરવામાં આવી છે અને જલદી વેક્સિન મળી જશે.

દરમિયાન રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાના નવા 327 કેસ નોંધાયા હતા. જ્યારે 360 દર્દીઓ સાજા થયા હતા. બુધવારે  સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા હતા. કોરોનાથી અમદાવાદમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. અમદાવાદમાં સૌથી વધુ 95 કેસ નોંધાયા હતા. કાલે અમદાવાદ જિલ્લામાં 98, વડોદરા જિલ્લામાં 60, સુરત જિલ્લામાં 37, મહેસાણામાં 24, રાજકોટ જિલ્લામાં 17, ગાંધીનગર જિલ્લામાં 9, જામનગર જિલ્લામાં 6, વલસાડમાં 12, મોરબીમાં 12, આણંદમાં 6, પાટણમાં 7, સાબરકાંઠામાં 6, સુરેન્દ્રનગરમાં 5, અમરેલીમાં 4, ભરૂચમાં 4, ભાવનગરમાં 4, બનાસકાંઠામાં 3, નવસારીમાં 3, કચ્છ, પોરબંદર અને પંચમહાલમાં 2-2 કેસ, અરવલ્લી, ગીરસોમનાથ, મહિસાગર અને તાપીમાં 1-1 કેસ નોંધાયો હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code