1. Home
  2. ગુજરાતી
  3. પંજાબમાં આપ ના  ધારાસભ્ય જસવંત સિંહની 40 કરોડની બેંક છેતરપિંડીના કેસમાં EDએ કરી ધરપકડ
પંજાબમાં આપ ના  ધારાસભ્ય જસવંત સિંહની 40 કરોડની બેંક છેતરપિંડીના કેસમાં EDએ કરી  ધરપકડ

પંજાબમાં આપ ના  ધારાસભ્ય જસવંત સિંહની 40 કરોડની બેંક છેતરપિંડીના કેસમાં EDએ કરી ધરપકડ

0
Social Share

ચંડીગઢ – ઇડી દ્વારા સતત આમ આદમી પાર્ટીના નેતાઓ પર ફ્રોડ કે દારૂ કૌભાંડ મામલે  કાર્યવાહી  હાથ ધરવામાં આવી રહી છે ત્યારે હવે ઇડી એ પંજાબના ધારાસભ્ય એવા જસવંત સિંહ સામે  મોટી કાર્યવાહી કરી છે . પ્રાપ્ત વિગત અનુસાર આમ આદમી પાર્ટીને  આ  ધારાસભ્યની મુશ્કેલીઓ વધી ગઈ છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય જસવંત સિંહ ગજ્જન માજરાને કસ્ટડીમાં લીધા છે. જસવંત સિંહ ગજ્જન માજરા અમરગઢથી ધારાસભ્ય છે. ગજ્જન માજરા કામદારો સાથે બેઠક કરી રહ્યા હતા ત્યારે ED દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી.

 વધુ માહિતી અનુસાર તેમની ધરતપકડ બાદ હવે EDની ટીમ તેને જલંધર લઈ જઈ રહી છે. ધારાસભ્ય પર 40 કરોડ રૂપિયાની બેંક ફ્રોડનો આરોપ છે. એજન્સીએ અગાઉ પણ ઘણી વખત તપાસ કરી છે.

ઉલ્લેખનીય છે કે જલંધર EDની ટીમે ગજ્જનમાજરાને ત્યારે કસ્ટડીમાં લીધો જ્યારે તે સવારે માલેરકોટલા જિલ્લાના અમરગઢમાં AAP કાર્યકર્તાઓની સભાને સંબોધિત કરી રહ્યો હતો. સપ્ટેમ્બર 2022 માં, EDની એક ટીમે ગજ્જનમાજરાના ઘર ઉપરાંત અમરગઢમાં તેમના પરિવાર દ્વારા ચલાવવામાં આવતી શાળા અને પ્રાણીઓના ખોરાકની ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન એ ગયા વર્ષે ₹40.92 કરોડના બેંક છેતરપિંડીના કેસમાં તેમની મિલકતોની તપાસ કરી હતી, જેના પગલે EDએ તેમની સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.
ગજ્જનમાજરા બેંક ફ્રોડ કેસમાં આરોપી તરીકે નામ આપવામાં આવેલ સાત લોકો અને કંપનીઓમાંથી એક છે.  લુધિયાણામાં બેંક ઓફ ઈન્ડિયાની એક શાખા દ્વારા માલેરકોટલાના ગાઉંસપુરામાં આવેલી ગજ્જનમાજરાની પેઢી સામે ફરિયાદ બાદ સીબીઆઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. ખાદ્ય અનાજના વેપાર સાથે સંકળાયેલી આ કંપનીને 2011 અને 2014 વચ્ચે ચાર અંતરાલમાં બેંક દ્વારા લોન મંજૂર કરવામાં આવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code