- દેશમાં ઝડપી બન્યું રસીકરણ
- સતત ચોથી વખત રસીકરણનો આકંડો 1 કરોડને પાર
દિલ્હી- સમગ્ર દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે કેન્દ્ર દ્રારા રસીકરણને વેગ આપવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું જેને લઈને સતત રસીકરણ વધી રહ્યું છે, ત્યારે કેન્દ્ર સરકારે કહ્યું છે કે અત્યાર સુધીમાં લગભગ 70 કરોડ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
વિતેલા દિવસને મંગળવારે, કેન્દ્ર સરકારે આ બાબતે માહિતી આપી કે છેલ્લા 24 કલાકમાં કોરોના રસીના 1.13 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં આ ચોથી વખત છે જ્યારે 24 કલાકમાં એક કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સોમવારે પણ એક કરોડ ડોઝ લગાવવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ અંગે ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા હતા.
માત્ર 13 દિવસમાં રેકોર્ડબ્રેક ટિકાકરણઃ- મનસુખ માંડવિયા
કોરોના સામેની લડમાં જીત મેળવવા માટે, દેશમાં રસીકરણ રાઉન્ડ સતત ચલાવવામાં આવી રહ્યું છે. મંગળવારે આ અંગે માહિતી આપતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 70 કરોડથી પણ વધુ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. માંડવિયાએ જણાવ્યું હતું કે તેમાંથી 10 કરોડથી વધુ ડોઝ માત્ર છેલ્લા 13 દિવસમાં જ આપવામાં આવ્યા છે.
આ બાબતની માહિતી ટ્વિટર પર શેર કરતા માંડવિયાએ ભારતના રસીકરણ કાર્યક્રમની પ્રગતિ પર એક ગ્રાફિક શેર કર્યો છે. તેમાં જણાવવામાં આવ્યું હતું કે દેશમાં રસીકરણ કાર્યક્રમ જાન્યુઆરીમાં શરૂ થયા બાદ, ભારતમાં પ્રથમ 10 કરોડ લોકોનું રસીકરણ કરવામાં 85 દિવસ લાગ્યા હતા. રસીના આગામી 10 કરોડ ડોઝ આપવા માટે 45 દિવસ લાગ્યા, 29 દિવસમાં 20 થી 30 કરોડ, 24 દિવસમાં 30 થી 40 કરોડ, 20 દિવસમાં 40 થી 50 કરોડ, 50-60 કરોડ ડોઝ આપવા માટે 19 દિવસ અને સૌથી ઝડપી 60 થી 70 કરોડ રસીના ડોઝ માત્ર 13 દિવસમાં આપવામાં આવ્યા હતા.