1. Home
  2. ગુજરાતી
  3. મુન્દ્રામાં અદાણી પોર્ટ અને ઇન્ડીઅન ઓઇલ કોર્પો.ને હાથ મિલાવ્યા: ઇન્ડીઅન ઓઇલ નવા નવ ક્રુડ ઓઇલ ટાંકા બાંધશે
મુન્દ્રામાં અદાણી પોર્ટ અને ઇન્ડીઅન ઓઇલ કોર્પો.ને હાથ મિલાવ્યા: ઇન્ડીઅન ઓઇલ નવા નવ ક્રુડ ઓઇલ ટાંકા બાંધશે

મુન્દ્રામાં અદાણી પોર્ટ અને ઇન્ડીઅન ઓઇલ કોર્પો.ને હાથ મિલાવ્યા: ઇન્ડીઅન ઓઇલ નવા નવ ક્રુડ ઓઇલ ટાંકા બાંધશે

0
Social Share

અમદાવાદઃ મુંદ્રા ખાતે ઇન્ડીઅન ઓઇલ કોર્પોરેશને ક્રૂડ ઓઈલના તેના જથ્થામાં વધારો કરવા માટે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (એપીએસઇઝેડ) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એપીએસઇઝેડ હસ્તકના મુન્દ્રા પોર્ટ ખાતે ઇન્ડીઅન ઓઇલ કોર્પોરેશન હાલના તેના ક્રૂડ ઓઈલ ટેન્ક ફાર્મનું વિસ્તરણ કરશે, આમ  મુંદ્રા ઇન્ડીઅન ઓઇલ વધારાના વાર્ષિક ૧૦ મિલીઅન મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ હેન્ડલ કરવા અને પ્રોસેસ કરવા સક્ષમ બનશે. તેના પરિણામે ઇન્ડીઅન ઓઇલના હરયાણાની પાણીપત રિફાઇનરીના વિસ્તરણને નવું જોમ મળશે. ભારતની ઝડપથી વધી રહેલી ઈંધણની જરુરિયાતને પહોંચી વળવા માટે ઇન્ડીઅન ઓઇલ કોર્પોરેશન લિ.તેની પાણીપત રિફાઇનરીની ક્ષમતામાં ૬૬ ટકા વધારીને વાર્ષિક ૨૫ મિલીઅન મેટ્રિક ટન કરશે.

“મુન્દ્રા પોર્ટ એ આર્થિક ગતિવિધીઓનું એક મુખ્ય પ્રવેશદ્વાર છે જે મલ્ટિમોડલ કનેક્ટિવિટી પુરી પાડીને ભારતના ઉત્તરીય અંતરિયાળ વિસ્તારોમાં સેવા આપે છે. “અમારી ભાગીદારીને વધુ મજબૂત કરવા અને ઇન્ડીઅન ઓઇલ કોર્પોોરેશન લિ.ને સમર્થન આપવાનો અમારા માટે ગૌરવ અને આનંદનો પ્રસંગ છે, એમ એપીએસઇઝેડના મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણકાલિન ડાયરેકટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું. જે રાષ્ટ્રની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવતા ઇન્ડીઅન ઓઇલના લાંબા ગાળાના ભરોસાપાત્ર ભાગીદાર તરીકે અદાણી પોર્ટ અને એસઇઝેડ મુન્દ્રા ખાતેના અમારા હાલના સિંગલ બ્યુઓય મૂરિંગ (એસબીએમ) પર વધારાનું વાર્ષિક 10 મિલીઅન મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ હેન્ડલ કરવા માટે સારી રીતે સજ્જ છે. એમ શ્રી કરણ અદાણીએ ઉમેર્યું હતું.

ભારતના પેટ્રોલિયમ ઉત્પાદનોના બજારમાં લગભગ અડધો હિસ્સો ધરાવતા ઇન્ડીઅન ઓઇલ કોર્પોરેશન લિ. તેની રિફાઇનિંગ ક્ષમતા વાર્ષિક 80.55 મિલીઅન મેટ્રિક ટન અને 15,000 KM પાઇપલાઇનનું  નેટવર્ક ધરાવે છે. ઇન્ડીઅન ઓઇલની પાણીપત રિફાઈનરી માટે  વાર્ષિક 15 મિલીઅન મેટ્રિક ટનની વર્તમાન ક્રૂડ ઓઈલની જરૂરિયાતનો એક ભાગ મુંદ્રા પોર્ટ ખાતેના એસબીએમમાં હેન્ડલ કરવામાં આવે છે. મુંદ્રા બંદરના કિનારેથી ૩-૪ કિ.મી.સ્થિર આ એસબીએમમાં વેરી લાર્જ ક્રુડ કેરીઅર્સ(વીએલસીસી) ઠાલવવામાં આવે છે.સમુદ્રની અંદર બિછાવેલી પાઇપ લાઇન મારફત એસબીએમમાંથી આ ક્રુડ ઓઇલનું ટેન્ક ફાર્મમાં પરિવહન કરવામાં આવે છે અને બાદમાં આ ટાંકામાંથી મુંદ્રા પાણીપત પાઇપ લાઇન મારફત પાણીપત ખાતેની રીફાઇનરીમાં પહોંચે છે.

હાલમાં ઇન્ડીઅન ઓઇલ અદાણીના મુન્દ્રા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં એક અલાયદા વિસ્તારમાં ક્રૂડ ઓઇલ ટેન્ક ફાર્મનું સંચાલન કરે છે, જેમાં કુલ 720,000 કીલો લીટરની ક્ષમતા સાથે 12 ટેન્કનો સમાવેશ થાય છે. 9 નવી ટાંકીઓના ઉમેરાથી આ સંગ્રહ ક્ષમતા 1,260,000 કીલો લીટર સુધી વધશે, આમ મુંદ્રા પોર્ટ ઇન્ડીઅન ઓઇલ માટે અત્યાર સુધીનું સૌથી મોટું પોર્ટ આધારિત ક્રૂડ ઓઇલ સ્ટોરેજની સગવડ ધરાવતું પોર્ટ બનશે. આ સાથે ઇન્ડીઅન ઓઇલ દ્વારા મુંદ્રા પાણીપત પાઇપલાઇનની ક્ષમતા વાર્ષિક 17.5 મિલીઅન મેટ્રિક ટન સુધી વધારવામાં આવશે.ઇન્ડીઅન ઓઇલ કોર્પોરેશનના બોર્ડે ડિસેમ્બર 2021માં ક્રૂડ ઓઇલ ટેન્ક અને મુંદ્રા પાણીપત પાઇપ લાઇનની વૃદ્ધિ માટે રુ. 9000 કરોડના મૂડી ખર્ચને મંજૂરી આપી હતી.

મુન્દ્રા પોર્ટ પરનો આ વિસ્તરણ પ્રોજેક્ટ APSEZ માં કેન્દ્ર હસ્તકના ઇન્ડીઅન ઓઇલ કોર્પોરેશન લિ.ના વિશ્વાસને રેખાંકિત કરે છે, જે તેના બંદરોને આધુનિક બનાવવા, ટર્નએરાઉન્ડ ટાઈમમાં સુધારો કરવા અને આમ તેના ગ્રાહકો માટે મૂલ્યવર્ધક બનાવવાના વ્યૂહાત્મક અભિગમ દ્વારા આ વિશ્વાસ હાંસલ થયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code