1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કોથમીર માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતી, સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે છે ગુણકારી
કોથમીર માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતી, સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે છે ગુણકારી

કોથમીર માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતી, સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે છે ગુણકારી

0
Social Share

ખૂબ જ ઓછા માણસો જાણતા હશે કે કોથમીરની અંદર વિટામિન એ, બી, સી, કે, કેલ્શિયમ, ફાસ્ફોરસ, પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. આ પોષક તત્વો આપણા શરીરને તંદુરસ્ત રાખવાની સાથે આપણી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત કરે છે. આવો જાણીએ કોથમીર ખાવાથી કયા-કયા ફાયદા થાય છે.

  • લિવરની બિમારીમાં ફાયદાકારક

લિવર સાથે જોડાયેલી સમસ્યાઓ માટે કોથમીર ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કોથમીરમાં પૂરતી માત્રામાં એલ્કલૉઇડ અને ફ્લેવોનૉઇડ્સ હોય છે. આ તત્વ પિત્ત વિકાર અને કમળા જેવી લિવરની બિમારીઓને મટાડવામાં મદદ કરે છે.

  • પાચન અને આંતરડાના આરોગ્યને સ્વસ્થ રાખે

કોથમીરના સેવનથી લોકોને પાચન તંત્રમાં ગડબડ અને આંતરડાની બિમારીમાંથી રાહત મળે છે. જેનાથી તમારું પેટ ફિટ રહે છે અને ભૂખ પણ ઓછી લાગે છે.

  • શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે

કોથમીરની અંદર એન્ટીઓક્સિડેન્ટ હોય છે. તે ફ્રી રેડિકલથી થનારા સેલ્યુલર ડેમેજને રોકે છે. કોથમીરના નિયમિત સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code