1. Home
  2. ગુજરાતી
  3. નેપાળ બાદ હવે પૂર્વી ઈન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા
નેપાળ બાદ હવે પૂર્વી ઈન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

નેપાળ બાદ હવે પૂર્વી ઈન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

0
Social Share

દિલ્હી: નેપાળ બાદ હવે ઈસ્ટર્ન ઈન્ડોનેશિયામાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. શ્રેણીબદ્ધ ભૂકંપના કારણે લોકો ગભરાટમાં છે. મળતી માહિતી મુજબ, બુધવારે ઓછી વસ્તીવાળા ટાપુની શૃંખલામાં ઘણા શક્તિશાળી અને ઓછી તીવ્રતાના ભૂકંપ આવ્યા હતા. જો કે અત્યાર સુધી ભૂકંપના કારણે કોઈ જાન-માલના નુકસાનની તાત્કાલિક માહિતી નથી. પરંતુ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7 સુધીની હતી. જેના કારણે જાન-માલનું મોટું નુકસાન થવાની આશંકા છે. એજન્સીઓ દ્વારા નુકસાનની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.

યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) એ જણાવ્યું હતું કે મલુકુ પ્રાંતના તટીય શહેર તુઆલથી 341 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં 10 કિલોમીટરની ઊંડાઈએ 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પછી તે જ વિસ્તારમાં 7.0ની તીવ્રતાનો બીજો ભૂકંપ અને 5.1ની તીવ્રતાના બે આફ્ટરશોક આવ્યા, USGSએ જણાવ્યું હતું. થોડા દિવસ પહેલા જ નેપાળમાં 6.8ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. સેંકડો મકાનો ધરાશાયી થયા હતા અને 158 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે જ દિવસે ભારતના વિવિધ રાજ્યોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા.

ઇન્ડોનેશિયાની હવામાનશાસ્ત્ર, આબોહવાશાસ્ત્ર અને જીઓફિઝિકલ એજન્સીએ જણાવ્યું હતું કે સુનામીનો કોઈ ખતરો નથી, જોકે તેણે સંભવિત આફ્ટરશોક્સની ચેતવણી આપી હતી. નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીના પ્રવક્તા અબુલ મુહરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તનિમ્બર ટાપુઓના ગ્રામવાસીઓએ થોડીવાર માટે જોરદાર ધ્રુજારી અનુભવી હતી, પરંતુ ગભરાવાનું કોઈ કારણ નથી.તેમણે કહ્યું કે ભૂકંપનું કેન્દ્ર તનિમ્બર ટાપુઓ નજીક બાંદા સમુદ્રમાં હતું, જેની વસ્તી લગભગ 127,000 છે. ઇન્ડોનેશિયા, 270 મિલિયનથી વધુ લોકોનો દેશ, ઘણીવાર ભૂકંપ, જ્વાળામુખી ફાટવા અને સુનામીથી પ્રભાવિત થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code