1. Home
  2. ગુજરાતી
  3. અજમેરઃ જાહેર અને ધાર્મિક સ્થળો ઉપર લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ
અજમેરઃ જાહેર અને ધાર્મિક સ્થળો ઉપર લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ

અજમેરઃ જાહેર અને ધાર્મિક સ્થળો ઉપર લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ

0
Social Share

નવી દિલ્હીઃ રાજસ્થાનના અજમેરમાં જિલ્લા પ્રશાસને ધ્વનિ પ્રદૂષણને રોકવા માટે તમામ જાહેર અને ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. અજમેર જિલ્લા પ્રશાસને 7 એપ્રિલથી આ પ્રતિબંધ લાગુ કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ધાર્મિક સ્થળો પર લગાવવામાં આવેલા લાઉડસ્પીકરને લઈને વિવાદો ઉભા થાય છે. દરમિયાન અજમેર જિલ્લા પ્રશાસને શહેરમાં એક મહિના માટે કલમ 144 લાગુ કરી દીધી છે. તેમજ આગામી એક મહિના સુધી કોઈપણ ધાર્મિક કાર્યક્રમમાં ઝંડા અને બેનરોના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ હુકમમાં જણાવાયું હતું કે, જિલ્લામાં યોજાનાર ધાર્મિક કાર્યક્રમોમાં સરકારી જગ્યાઓ, જાહેર ચોક, ઈલેક્ટ્રીક અને ટેલિફોનના થાંભલાઓ અને કોઈ પણ વ્યક્તિની મિલકત પર સક્ષમ મંજુરી વગર કોઈપણ પ્રકારના બેનરો કે ઝંડા લગાવી શકાશે નહીં. એવું પણ લખવામાં આવ્યું છે કે જો કોઈ આવું કરતા પકડાશે તો તે વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તાજેતરમાં જ રાજસ્થાનના કરૌલી શહેરમાં નવ સંવત્સર નિમિત્તે હિન્દુ સંગઠનો દ્વારા કાઢવામાં આવેલી બાઇક રેલી પર પથ્થરમારો બાદ હિંસા ફાટી નીકળી હતી. ત્યારથી કરૌલીમાં તણાવનું વાતાવરણ છે. જો કે, હજુ પણ શાંતિ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મસ્જિદમાં આજાન વગાડવા ઉપર છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. અનેક કર્ણાટક અને મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર ઉપર વગાડવામાં આવતી અજાન ઉપર પ્રતિબંધ ફરમાવવાની માંગણી કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેએ મસ્જીદમાં લાઉડસ્પીકરને લઈને નારાજગી વ્યક્ત કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code