Site icon Revoi.in

ભારતમાં કોવિડના પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો, પોઝિટિવ કેસનો આંકડો 4300ને પાર

Social Share

નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરોના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. તેમજ કોવિડ ટેસ્ટમાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ તમામ રાજ્યોને જરૂરી સુચના આપવમાં આવી છે. દરમિયાન દેશમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો વધીને 4302 ઉપર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં કોવિડમાં 44 વ્યક્તિઓના મોત થયાં છે.

દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ચિંતાજનક રીતે ફેલાઈ રહ્યો છે. કોવિડ 19ના આંકડા મુજબ, સક્રિય કેસોની સંખ્યા વધીને 4302 થઈ ગઈ છે. આના કારણે અત્યાર સુધીમાં 44 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્યોમાંથી કોરોનાના કેસ નોંધાયા છે. મહત્વની વાત એ છે કે કોવિડના કેસ દરરોજ વધી રહ્યા છે. રાજ્ય સરકારોએ આ અંગે માર્ગદર્શિકા પણ જારી કરી છે.

ગુજરાતમાં કોરોનાના 108 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે. ગુજરાતમાં સક્રિય કેસોની કુલ સંખ્યા 461 થઈ ગઈ છે. રાજ્યની 20 હોસ્પિટલોમાં કોવિડ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. તેમજ કેટલાક દર્દીઓ ઘરે પણ સારવાર લઈ રહ્યા છે.