1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ કાશ્મીરમાં એલર્ટઃ- હાઈબ્રિડ આતંકીઓ પાસે પહોંચ્યો પાકિસ્તાની ‘શાહીન પિસ્તોલ’નો જથ્થો
જમ્મુ કાશ્મીરમાં એલર્ટઃ- હાઈબ્રિડ આતંકીઓ પાસે પહોંચ્યો પાકિસ્તાની ‘શાહીન પિસ્તોલ’નો જથ્થો

જમ્મુ કાશ્મીરમાં એલર્ટઃ- હાઈબ્રિડ આતંકીઓ પાસે પહોંચ્યો પાકિસ્તાની ‘શાહીન પિસ્તોલ’નો જથ્થો

0
Social Share
  • જમ્મુ કાશ્મીરમાં એલર્ટ
  • પાકિસ્તાની પિસ્તોલો હાઈબ્રિડ આતંકીઓ પાસે પહોચ્યાના ઈનપુટ
  • સેના પણ એક્શન મોડમાં

 

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરથી એક મહત્વના  સમાચાર સામે આવી રહ્યા છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે અહીંના આતંકવાદીઓ પાસે પાકિસ્તાની શાહીન નામક પિસ્તોલ અને સાઇલેન્સરનો કન્સાઇનમેન્ટ પહોંચવાની ગુપ્ત માહિતી મલી છે.જેને લઈને સેના પણ સતર્ક બની છે.

શરીનગરમાં ટાર્ગેટેડ કિલિંગમાં સામેલ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ અને અંસાર ગજવાતુલ હિંદના મોડ્યુલના પર્દાફાશ દરમિયાન, ગુરુવારે આતંકવાદીઓ પાસેથી મળેલી પિસ્તોલ શાહીન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓ હવે શસ્ત્રના રૂટ અને સ્ત્રોતને ટ્રેસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.શસ્ત્રો જમ્મુમાંથી પ્રવેશ્યા છે કે સરહદ પારથી જમ્મુ-કાશ્મીરની સરહદ સુધી લઈ જવામાં આવી રહ્યા છે તે જાણવાના પ્રયાસો ચાલુ છે.

આ સમગ્ર ઘટનાને લઈને સુરક્ષા એજન્સીઓ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે શાહીન પિસ્તોલના ફાયરિંગ AK 47ની જેમ ફૂટે છે. જેમાં 17 બુલેટની મેગેઝીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે નજીકથી લક્ષ્યને ફટકારવાની ક્ષમતા ઘરાવે છે. તેને પાસે રાખવી તેનો અને ઉપયોગ કરવો ખૂબ સરળ ક્રિયા છે. સાઇલેન્સર લગાવ્યા બાદ પિસ્તોલ વધુ ઘાતક બની જાય છે. અને તેનો અવાજ પણ દૂર સુધી પહોંચતો નથી.

અધિકારીોનુંકહેવું છે કે મોટાભાગના હાઇબ્રિડ આતંકવાદીઓને પિસ્તોલનું કન્સાઇનમેન્ટ આપવામાં આવ્યું છે. હાઇબ્રિડ આતંકવાદીઓએ ભૂતકાળમાં ટાર્ગેટ કિલિંગમાં જ પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો. ઘણા હાઇબ્રિડ આતંકવાદીઓ અને કામદારો પિસ્તોલ સાથે પકડાયા છે.

તે જ સમયે, પ્રદેશમાં હિમવર્ષા અને તીવ્ર ઠંડી આતંકવાદીઓ માટે કાળનો સમય બની ગયો છે. પહાડો પરથી નીચે આવતાં મેદાનમાં આતંકવાદીઓની હાજરીના મજબૂત ઈનપુટ મળે છે અને તેઓ ઓપરેશનમાં માર્યા જાય છે. વર્ષના પ્રથમ સાત દિવસમાં 11 આતંકવાદીઓ માર્યા ગયા છે. સેના સતત સર્ચ ઓપરેશન કરીને આતંકીને માત આપી રહીવ છે,ત્યારે હવે આ મળી આવેલી શાહિન પિસ્તોલના જથ્થા બાબતે પણ પુરતી તપાસ હાથ ધરવામાં આવી રહી છે,

ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં દર વર્ષે ગણતંત્ર દિવસના અવસર પર આતંકવાદી હુમલાનું જોખમ રહે છે. આ વખતે પણ સુરક્ષા એજન્સીઓને એવા ઈનપુટ મળ્યા છે કે આતંકવાદીઓ તાનજીમાં આઈઈડી અને ગ્રેનેડ હુમલાની યોજના ઘડી રહ્યા છે ત્યારે હવે તેઓ સતર્ક બનીને પોતાની કાર્યવાહી કરી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code