1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં તમામ બ્રિજની વર્ષ દરમિયાન બેવાર ચકાસણી કરાશે, હાઈકોર્ટમાં સરકારનું સોગંદનામું
ગુજરાતમાં તમામ બ્રિજની વર્ષ દરમિયાન બેવાર ચકાસણી કરાશે, હાઈકોર્ટમાં સરકારનું સોગંદનામું

ગુજરાતમાં તમામ બ્રિજની વર્ષ દરમિયાન બેવાર ચકાસણી કરાશે, હાઈકોર્ટમાં સરકારનું સોગંદનામું

0
Social Share

અમદાવાદઃ મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં માર્યા ગયેલા 135 લોકોને વળતર સહિતના મામલે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી હતી. ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારે સોગંદનામું કર્યું હતું. અને સરકારે બ્રિજની મરામત માટે તૈયાર કરેલી યુનિફોર્મ પોલિસી રજૂ કરી હતી. પોલિસી અતંર્ગત રાજ્યના તમામ નાના- મોટા બ્રિજની વર્ષમાં બે વખત ચકાસણી કરાશે. તમામ બ્રિજના રિપેરિંગ માટે અલગથી રેકોર્ડ રજિસ્ટર કરવામાં આવશે. બ્રિજના પ્રકાર પ્રમાણે તેની મરામત થશે. બ્રિજના ફાઉન્ડેશન,સ્ટ્રકચર, પિલરની મરામત અંગે તપાસ કરવામાં આવશે. ચોમાસા પહેલા મે અને ચોમાસા બાદ ઓકટોબર મહિનામાં નિરીક્ષણ કરીને રિપોર્ટ રજૂ કરવામાં આવશે. જેની તમામ જવાબદારી ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની રહેશે. તદઉપરાત સરકારે તૈયાર કરેલી માર્ગદર્શિકા પણ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના 120 અસરગ્રસ્તો તરફથી એડવોકેટ ઉત્કર્ષ દવે અને ખેમચંદ કોષ્ઠીએ વળતરની રકમ માટે જાહેરહિતની અરજી કરી હતી. તેમા અસરગ્રસ્તોને વળતરની રકમ વધારવા અને જવાબદારો સામે પગલા લેવા દાદ માગી છે. ખંડપીઠે અજન્ટા કંપનીને વળતર કયારે આપવામાં આવશે? તે અંગે સવાલ કર્યો હતો. અજટાં તરફથી એવો જવાબ આપ્યો હતો કે કંપનીના ડીરેકટર હાલ જેલમાં છે. ખંડપીઠે કંપનીને 22 માર્ચ સુધીમાં વળતર ચુકવી દેવા આદેશ કર્યો છે. અને સુનાવણી 27 માર્ચ પર મુકરર કરી છે.

ગુજરાત સરકારે રાજ્યભરના તમામ બ્રિજની મરામત અને દેખરેખ માટે યુનિફોર્મ પોલીસી બનાવી છે, જેમાં બ્રિજના નિરીક્ષણ માટે રાજ્ય સરકારે 15 મુદ્દાની માર્ગદર્શિકા રજૂ કરી હતી. જે મુજબ નિમાયેલા ઓફિસરે બ્રિજ, સ્ટ્રકચર, પિલર, આરસીસી સ્લેબ, ઢાળ ઢોળાવ, બંને તરફની રેલિંગની તપાસ કરી ખામી દેખાય તો રિપોર્ટ કરવાનો રહેશે પુલની નીચે પાણીનો રસ્તો અને તેના નિકાલની વ્યવસ્થા અંગે નિરીક્ષણે રિપોર્ટ આપવાનો રહેશે. દરેક બ્રિજ નીચે પૂરની સ્થિતિ  અને કયા સ્તર પર પછી જોખમી છે? તેની ઉંચાઇ તપાસવાની રહેશે. બ્રિજમાં કયા બેરિંગ વપરાયેલા છે તેનું નિરીક્ષણ કરવાનું રહેશે. પૂલની પહેલા અને પછીની સ્થિતિએ આવા બેરિંગનું તાપમાન કેટલું રહે છે? ભુંકપ દરમિયાન અને ભારે ટ્રાફિક દરમિયાન બ્રિજના બેરીંગના ટકાઉપણાનું નિરીક્ષણ કરવાનું રહેશે. બ્રિજની મરામત માટે વપરાયેલા કેમિકલની પણ તપાસ કરવી પડશે. કેમિકલના ટકાઉપણા અંગે રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. આ ઉપરાંત બ્રિજની લંબાઇ મુજબ તેમા કરાયેલા સાંધા અને જો વધાર્યા હોય તો તેની વિગતો તપાસવાની રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code