1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. AMCનું સરપ્રાઈઝ ચેકીંગ: મોલ, મલ્ટીપ્લેક્સ અને મંદિરમાં કોવિડ-19ની વેક્સિન વિના ફરતા 1642 વ્યક્તિ પકડાયાં
AMCનું સરપ્રાઈઝ ચેકીંગ: મોલ, મલ્ટીપ્લેક્સ અને મંદિરમાં કોવિડ-19ની વેક્સિન વિના ફરતા 1642 વ્યક્તિ પકડાયાં

AMCનું સરપ્રાઈઝ ચેકીંગ: મોલ, મલ્ટીપ્લેક્સ અને મંદિરમાં કોવિડ-19ની વેક્સિન વિના ફરતા 1642 વ્યક્તિ પકડાયાં

0
Social Share
  • કોર્પોરેશને 200થી વધારે ટીમો બનાવી શરૂ કરી તપાસ
  • 1402 વ્યક્તિઓને કોરોનાની રસીથી કરાયાં સુરક્ષિત
  • રસીકરણ ઝુંબેશને બનાવાયું વધારે વેગવંતુ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. તેમજ કેટલાક નિયત્રણો દૂર કરવામાં આવ્યાં છે. અમદાવાદમાં વિવિધ જાહેર સ્થળો ઉપર કોરોના વેક્સિનેશ વિના કોઈને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરાયો હતો. દરમિયાન કોર્પોરેશનની ટીમે વિવિધ મોલ અને મલ્ટીપ્લેક્સ સહિતના જાહેર અને ધાર્મિક સ્થળો ઉપર તપાસ કરતા એક જ દિવસમાં રસી વિના ફરતા 1642 વ્યક્તિઓને ઝડપી લઈને તેમને રસી આપવાની કામગીરી કરાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મ્યુનિસિપલ કોર્પોરેશનના દ્વારા 200થી વધારે ટીમો બનાવીને વિવિધ મંદિર અને જાહેર સ્થળો ઉપર સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ ટીમોએ 44 મોલ, 97 મંદિર અને 16 જેટલા મલ્ટીપ્લેક્સમાં સરપ્રાઈસ ચેકીંગ કરીને 11312 વ્યક્તિઓનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જે પૈકી 1642 વ્યક્તિઓએ રસી નહીં લીધી હોવાનું સામે આવ્યું હતું. આ લોકોને સ્થળ ઉપર રસી મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યાં હતા. જેથી 1402 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી હતી.

અમદાવાદમાં એમટીએસ અને બીઆરટીએસ બસમાં પણ કોવિડ-19ની રસી નહીં લેનારા શહેરીજનોને પ્રવાસ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. એટલું જ નહીં પાલડી અને લાલદરવાજા બસ સ્ટેન્ડ ઉપર પ્રવાસીઓને કોરોનાની રસી મળી રહે તેવુ આયોજન પણ કરવામાં આવ્યું છે. દિવાળી પહેલા મોટાભાગના શહેરીજનોને કોવિડની રસી આપીને કોરોના સામે સુરક્ષિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code