1. Home
  2. ગુજરાતી
  3. અગ્નિપથ ફિલ્મમાં અમિતાભ બચ્ચનને ડાયલોગ ફરીથી ડબ કર્યાં હતા
અગ્નિપથ ફિલ્મમાં અમિતાભ બચ્ચનને ડાયલોગ ફરીથી ડબ કર્યાં હતા

અગ્નિપથ ફિલ્મમાં અમિતાભ બચ્ચનને ડાયલોગ ફરીથી ડબ કર્યાં હતા

0
Social Share

બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હાલ ‘કૌન બનેગા કરોડપતિ 16’ હોસ્ટ કરતા જોવા મળે છે. વરુણ ધવન શોના આગામી સ્પેશિયલ એપિસોડમાં આવ્યો હતો. કેબીસી સ્ટેજ પર પહોંચેલા વરુણ બિગ બીને ફિલ્મ ‘અગ્નિપથ’માં તેના પાત્ર વિજય દીનાનાથ ચૌહાણ વિશે પૂછ્યું હતું, પછી બિગ બીએ તેને પાત્ર માટે ફરીથી ડબ કરવાનું કારણ જણાવ્યું હતું.

વરુણ ધવને અમિતાભ બચ્ચનને પૂછ્યું હતું કે, ‘એક્ટર તરીકે મને એ જાણવાનું ગમશે કે જ્યારે તમે વિજય દીનાનાથ ચૌહાણનું પાત્ર ભજવ્યું ત્યારે તમારા મનમાં શું હતું? તમે વૉઇસ મોડ્યુલેશન પર કેવી રીતે નિર્ણય લીધો? આના જવાબમાં બિગ બીએ કહ્યું, ‘હું તમને એક વાત કહીશ, કેટલીક વસ્તુઓ પ્લાનિંગ વગર જ થાય છે. શૂટિંગના પહેલા દિવસે મને એ પાત્ર કેવી રીતે ભજવવું તે સમજાતું ન હતું.

અમિતાભ બચ્ચન આગળ કહ્યું હતું કે, ‘હું મેકઅપ રૂમમાં હતો અને મેં મુકુલ આનંદને ફોન કર્યો અને વિજયને ઊંડો અવાજ આપવાની સલાહ આપી. તે સંમત થયો અને તે રીતે અમે તેના પર નિર્ણય લીધો. બિગ બીએ વધુમાં કહ્યું કે, ‘કલ્યાણજી-આણંદજીના ઘરે એક માણસ આવતો હતો, જેનો અવાજ ખૂબ જ ભારે હતો, તો મેં વિચાર્યું કે, વિજયનો અવાજ એવો જ કેમ ન બનાવવો? પાત્રનો પહેલો શોટ તેનાથી પ્રેરિત હતો.

બિગ બી જણાવ્યું કે, લોકોને તે અવાજ ગમ્યો નહીં. શ્રોતાઓ બેઠકો ફાડીને સાઉન્ડ વિભાગને કહી રહ્યા હતા કે તે અમિતાભ જેવો અવાજ નથી, સાઉન્ડ સિસ્ટમ ઠીક કરો! આ કારણોસર અમિતાભ બચ્ચને વિજય દીનાનાથ ચૌહાણના ડાયલોગ્સ રિ-ડબ કરવા પડ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code