1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના માણેકચોકના બુલિયન ગોલ્ડના વેપારીનું 25 કિલો સોનું લઈને કર્મચારી નાસી ગયો
અમદાવાદના માણેકચોકના બુલિયન ગોલ્ડના વેપારીનું 25 કિલો સોનું લઈને કર્મચારી નાસી ગયો

અમદાવાદના માણેકચોકના બુલિયન ગોલ્ડના વેપારીનું 25 કિલો સોનું લઈને કર્મચારી નાસી ગયો

0
Social Share

અમદાવાદઃ શહેરમાં સોનાના બુલિયન વેપારીને પોતાના જ કર્મચારી પર વિશ્વાસ રાખવો ભારે પડ્યો છે. શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા અને માણેકચોકમાં સોનાનો બુલિયન વેપાર કરતા વિજય ઠુમર નામના વેપારીએ પોતાના વિશ્વાસુ કર્મચારી યશ પંડ્યાને રૂપિયા 13.50 કરોડની કિંમતના 25 કિલો સોનાની ડિલિવરી આપવા માટે મુંબઈ મોકલ્યો હતો. પરંતુ કર્મચારી તેના સાગરિતો સાથે સોનું લઈને ગુમ થઈ ગયો છે. વેપારીએ પોતાના કર્મચારી સહિત પાંચ વ્યક્તિઓ સામે શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ શહેરના બુલિયનના વેપારીની દુકાનમાં કામ કરતા કર્મચારીએ મુંબઇ 25 કિલો સોનાની ડિલિવરી આપવા જતા રસ્તામાં જ મિત્રો સાથે મળીને 13.50 કરોડનું કિલો સોનું લઈને ફરાર થઇ ગયો છે.  શહેરના નિકોલમાં રહેતા વિજય ઠુમર માણેકચોકમાં બુલિયન ગોલ્ડન વેપારી છે. છેલ્લા 3 વર્ષથી તે બુલિયનનું કામ કરે છે. તેમના પરિચિત ચિરાગ પંડ્યાના દીકરા યશ પંડ્યાને વેપારીએ  બે વર્ષ અગાઉ તેમના ત્યાં નોકરીએ રાખ્યો હતો. વેપારી વિજયભાઈએ 25 કિલો સોનું સુરતથી ખરીધ્યું હતું. 25 કિલો સોનું તેમને મુંબઇ મોકલવાનું હતું .જેથી 19 જાન્યુઆરીએ આ સોનાને 10 કિલો અને 15 કિલો એમ અલગ 2 બેગમાં 13.50 કરોડના સોનના બિસ્કિટ ભરવામાં આવ્યા હતા. વેપારી વિજયભાઈના મિત્ર પાર્થનો સાળો આદિત્ય અને દુકાનનો કર્મચારી યશ પંડ્યાને સીટીએમથી ખાનગી ટ્રાવેલ્સની લકઝરીમાં બંનેને સોનાની ડિલિવરી આપવા રાતે 11 વાગે રવાના કરાયા હતા.  10 કિલોની બેગ આદિત્ય પાસે હતી જયારે 15 કિલોની બેગ યશ પાસે હતી. 20 જાન્યુઆરીએ વહેલી સવારે આદિત્યએ ફોન કરીને વિજયભાઈને કહ્યું કે, ભરૂચથી અંકલેશ્વર જવાના રસ્તે હોટલ ખાતે બસ ચા નાસ્તો કરવા ઉભી રહી ત્યારે પાર્થ બંને બેગ લઈને તેના પરિચિત મિત્રો સાથે ઇનોવા ગાડીમાં બેસીને ભાગી ગયો છે. બીજી તરફ વિજયભાઈના મિત્ર પાર્થ શાહના પણ ફોન આવવા લાગ્યા હતા. વિજયભાઈએ યશને ફોન કર્યો ત્યારે યશનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. વિજયભાઈએ યશના પિતા ચિરાગભાઈને ફોન કર્યો અને તેમને વિગત જણાવી હતી. ચિરાગભાઈએ પોલીસ ફરિયાદ ના કરવા કહીને તમારું સોનું પરત અપાવી દઈશ તેમ  હતું. ચિરાગભાઈએ પણ દીકરા યશને ફોન કરતા યશનો ફોન સ્વીચ ઓફ જ આવતો હતો. ચિરાગભાઈએ વિજયભાઈએ કહ્યું કે મારો દીકરો ગોતામાં રહેતા તેના મિત્ર નિકેટ આચાર્ય સાથે દિલ્હી તરફ ગયો છે. આ ઉપરાંત સોનું લઈ જવામાં દીપ ઝા, મોઇન અને નિકેતનો સાળો પણ સામેલ હતા. આ સમગ્ર મામલે વિજયભાઈએ ક્રાઈમ બ્રાન્ચમાં 8 ફેબ્રુઆરીએ અરજી કરી હતી. ત્યારે હવે ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર મામલે 13.50 કરોડના સોનાની લૂંટ માટે ફરિયાદ નોંધી છે. (File photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code