
તાઉ-તે બાદ આવનારા 5 દિવસમાં અન્ય એક ગંભીર વાવાઝોડાની સંભાવના – જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
- તાઉ-તે બાદ અન્ય એક વાવાઝોડાની દહેશત
- હવામાન વિભાગે 5 દિવસ દરમિયાન આ વાવાઝોડાની આગાહી કરી
દિલ્હીઃ-ચક્રવાતી વાવાઝોડાના વિનાશથી દેશ હજી બહાર આવ્યો નથી કે ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં બીજા એક ચક્રવાત તોફાનની સંભાવના વ્યક્ત કરી છે.આ ગંભીર ચક્રવાતી તોફાન તાઉ-તે એ અરબી સમુદ્રમાંથી નીકળીને ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકમાં તબાહી મચાવીને તારાજી સર્જી છે.
તાઉ તે નામક આ વાવાઝોડા દ્વારા ગુજરાતમાં 13 લોકોના મોત થયા હોવાના સમાચાર છે, જ્યારે મહારાષ્ટ્રમાં 6 લોકોનાં મોત નીપજ્યાં છે. દરમિયાન ભારતીય હવામાન વિભાગે બીજા એક ચક્રવાત તોફાનની સંભાવના જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 23થી 25 મેની વચ્ચે બીજા એક ચક્રવાત તોફાન ‘યશ’ બંગાળની ખાડીમાં પછાડશે. ઉલ્લેખનીય છે કે આ તોફાનનું નામ ઓમાન રાખવામાં આવ્યું છે.
પ્રાદેશિક હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 23 થી 25 મેની વચ્ચે બંગાળની ખાડીમાં યશ નામનું સુપર ચક્રવાત સુંદરબન પ્રદેશોમાં પછાડશે અને એવી સંભાવનાઓ સેવાઈ રહી છે કે, આ સુપર ચક્રવાત બાંગ્લાદેશ તરફ આગળ વધશે.
હવામાન વિભાગે કહ્યું કે આ તોફાનનું નામ ઓમાન છે અને તેની ગતિ અમ્ફાન જેટલી ઝડપી હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે વિતેલા વર્ષ દરમિયાન 19 મેના રોજ અમ્ફાને બંગાળ અને તેની આસપાસના વિસ્તારોનો નાશ કર્યો હતો.
જો, કે હવામાન વિભાગને તોફાનની દિશા અને ગતિ વિશે ચોક્કસ ખાતરી નથી, પરંતુ વિભાગનું કહેવું છે કે પૂર્વી મધ્ય ખાડી સેન્ટ્ર અને તેના આસપાસના વિસ્તારોમાં ઓછું દબાણ બન્યું છે. વિભાગે કહ્યું કે જે રીતે તે વિકાસ કરી રહ્યો છે તે અઠવાડિયાના અંત સુધીમાં એક સુપર ચક્રવાતમાં ફેરવાઈ શકે છે.
આ ઉપરાંત 23 મી મેના રોજ માછીમારોને હવામાન વિભાગ દ્વારા દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. વિભાગના અધિકારીઓએ માહિતી આપી હતી કે ઓછા દબાણને કારણે કોલકાતા, દક્ષિણ અને ઉત્તર 24 પરગણા સહિત ગંગા પશ્ચિમ બંગાળમાં તાપમાન વધી રહ્યું છે અને તેમાં વધુ વધારો થવાની સંભાવના છે.