1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ-કાશ્મીરના કોકરનાગમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન શહીદ
જમ્મુ-કાશ્મીરના કોકરનાગમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના કોકરનાગમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન શહીદ

0
Social Share
  • સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર
  • એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન શહીદ
  • જમ્મુ-કાશ્મીરના કોકરનાગમાં બની ઘટના

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના કોકરનાગમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે એકાઉન્ટ થયું,જેમાં સેનાનો એક જવાન શહીદ થયો છે.હજુ પણ સર્ચ ઓપરેશન જારી છે.

મળતી માહિતી મુજબ સુરક્ષાદળોએ વટનારમાં આતંકીઓને ઘેરીને રાખ્યા છે અને બંને બાજુથી ગોળીબાર થઇ રહી છે.એકાઉન્ટમાં એક જવાન ધાયલ થયો હતો.જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો પરંતુ ત્યાં તેનું મોત નિપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે,આતંકવાદીઓ દ્વારા અવારનવાર જમ્મુ અને કાશ્મીરમાં અલગ અલગ જગ્યા પર હુમલો કરવામાં આવી રહ્યો છે અને ભારતીય સેના દ્વારા પણ આતંકવાદને નાથવા માટે તમામ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે.

સૂત્રોના કહેવા પ્રમાણે ભારતીય સેના દ્વારા આતંકવાદીઓને હથિયાર મુકીને સરંડર થવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ આતંકવાદીઓ દ્વારા સેના પર ફાયરિંગ કરવામાં આવતા સેના દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો અને એન્કાઉન્ટરમાં આતંકવાદીઓ ઠાર થયા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code