અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવાનો સમય માગ્યો, જાણો કારણ
નવી દિલ્હી/અમદાવાદ, 2 એપ્રિલ, 2026: આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવા માગે છે. આ સંદર્ભમાં કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું છે કે ગુજરાતમાં પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ પહેલા તેમની પાર્ટીના કાર્યકરોની મોટા પાયે ગેરકાયદે ધરપકડ કરવામાં આવી રહી છે.

કેજરીવાલના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 160થી વધુ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આગળ પણ 10,000 થી વધુ લોકોની ધરપકડ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ તમામ બાબતોને લઈને તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને મળવા માટેનો સમય માંગ્યો છે.
गुजरात के मुख्यमंत्री श्री भूपेंद्र पटेल जी को मैंने पत्र लिखकर मिलने का समय मांगा है।
गुजरात में पंचायत और नगर पालिका चुनावों के पहले अवैध रूप से बहुत बड़े स्तर पर हमारे कार्यकर्ताओं को गिरफ्तार किया जा रहा है। 160 से अधिक कार्यकर्ताओं को गिरफ्तार किया जा चुका है और अभी दस… pic.twitter.com/ieXswYN6hs
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 2, 2026
‘આપ’ ની વધતી લોકપ્રિયતાથી ભાજપમાં ગભરાટઃ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે એવું પણ લખ્યું છે કે આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતાથી ભાજપ ખરાબ રીતે ગભરાઈ ગયું છે. કેજરીવાલે કહ્યું કે આ પ્રકારની ધરપકડો અને કથિત ‘ગુંડાગીરી’ ને ગુજરાતની જનતા સ્વીકારશે નહીં અને આગામી સમયમાં લોકો તેનો જવાબ આપશે. આ દરમિયાન તેમણે એ પણ જણાવ્યું કે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને મળવાનો સમય માંગ્યો છે. તેમનું કહેવું છે કે તેઓ આ સમગ્ર મામલે મુખ્યમંત્રી સાથે સીધી વાતચીત કરવા માંગે છે અને પોતાની પાર્ટીના કાર્યકરોની સ્થિતિ તેમની સમક્ષ રાખવા માંગે છે.
આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા આ આરોપો બાદ રાજકીય માહોલ ગરમાયો છે. બીજી તરફ, આ આરોપો પર અત્યાર સુધી સરકાર કે ભાજપ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. આ મુદ્દાને લઈને રાજ્યની રાજનીતિમાં તણાવ વધતો જણાય છે અને આગામી દિવસોમાં આ વિવાદ વધુ ઘેરો બનવાની શક્યતા છે.


