1. Home
  2. ગુજરાતી
  3. ઈડી અધિકારીઓની જાસૂસી કરાવી રહ્યા હતા અરવિંદ કેજરીવાલ?: 150 પૃષ્ઠોના ઘરેથી મળેલા રિપોર્ટમાં અધિકારીઓનો ઉલ્લેખ
ઈડી અધિકારીઓની જાસૂસી કરાવી રહ્યા હતા અરવિંદ કેજરીવાલ?: 150 પૃષ્ઠોના ઘરેથી મળેલા રિપોર્ટમાં અધિકારીઓનો ઉલ્લેખ

ઈડી અધિકારીઓની જાસૂસી કરાવી રહ્યા હતા અરવિંદ કેજરીવાલ?: 150 પૃષ્ઠોના ઘરેથી મળેલા રિપોર્ટમાં અધિકારીઓનો ઉલ્લેખ

0
Social Share

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધતી જઈ રહી છે. તપાસ એજન્સી ઈડી નિદેશાલયને અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનથી મોટો અને મહત્વનો પુરાવો હાથ લાગ્યો છે. સૂત્રોનું કહેવું છે કે ગુરુવારે રાત્રે એરેસ્ટ પહેલા કેજરીવાલના ઘરેથી ઈડી નિદેશાલયને 150 પૃષ્ઠોનો એક દસ્તાવેજ મળ્યો છે. આ દસ્તાવેજમાં ઈડીના બે વરિષ્ઠ અધિકારીઓનો ડિટેલ રિપોર્ટ છે. જે અધિકારીઓની ડિટેલ છે, તે બંને જોઈન્ટ ડાયરેક્ટર સ્તરના અધિકારીઓ છે. હવે મોટા સવાલ ઉઠી રહ્યો છે કે અરવિંદ કેજરીવાલે 150 પૃષ્ઠોની જાણકારી શા માટે એકઠી કરી છે? શું આ બિનકાયદેસર રીતે જાસૂસીનો મામલો નથી?

તપાસ એજન્સીના અધિકારીઓએ ગુરુવારે સાંજે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી ટૂંકી પૂછપરછ બાદ અરવિંદ કેજરીવાલની દિલ્હી દારૂ નીતિ ગોટાળાના મામલામાં એરેસ્ટ કર્યા હતા. કેજરીવાલની ધરપકડથી દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દેખાવ કરી રહ્યા છે.

એજન્સીના સૂત્રો મુજબ, ઈડીની ટીમ કેજરીવાલના ઘરે ગુરુવારે સાંજે સાત વાગ્યે પહોંચી હતી. તેના પછી નિવાસસ્થાનની તલાશી લીધી. તલાશી દરમિયાન અધિકારીઓને એક દસ્તાવેજ મળ્યો હતો.તેમાં એક ખાસ નિદેશક સ્તરના અધિકારી અને એક સંયુક્ત નિદેશક સ્તરના અધિકારી સાથે સંબંધિત સંવેદનશીલ વિવરણ હતું. સુરક્ષા કારણોથી બંને અધિકારીઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. તલાશી અભિયાન દરમિયાન અધિકારીઓની નજર દસ્તાવેજ પર પડી અને તેમણે તાત્કાલિક તેને જપ્ત કરી લીધા.

દસ્તાવેજોને જોઈને ઈડી નિદેશાલયના અધિકારી આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે નામિત અધિકારીઓમાંથી એક તલાશી અભિયાન દરમિયાન હાજર હતો. સંયુક્ત નિદેશક સ્તરના અધિકારીનું નામ દસ્તાવેજમાં છે. તે હાલમાં કથિત દારૂ નીતિ ગોટાળાની તપાસનું મોનિટરિંગ કરી રહ્યો છે.

તપાસ એજન્સીના અધિકારીઓએ આગળની તપાસ અને કાર્યવાહી માટે મામલાને એજન્સીના ઉચ્ચાધિકારીઓ પાસે મોકલી દીધો છે. આવા વાંધાજનક દસ્તાવેજોને જપ્તીથી કથિત ગુપ્ત જાણકારી એકઠી કરવા પાછળના ઉદેશ્ય સંદર્ભે અટકળો તેજ થઈ ગઈ છે. ઈડીએ મામલાની સંવેદનશીલ પ્રકૃતિને ટાંકીને ચાલી રહેલી તપાસ સંદર્ભે કોઈપણ સત્તાવાર નિવેદન આપવાથી પરહેજ કર્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code