1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શુભ મુહૂર્ત ન હોવાથી હવે બે મહિના લગ્નોના ઢોલ નહીં ઢબુકે, 16મી જુલાઈથી ચાતુર્માસ શરૂ થશે
શુભ મુહૂર્ત ન હોવાથી હવે બે મહિના લગ્નોના ઢોલ નહીં ઢબુકે, 16મી જુલાઈથી ચાતુર્માસ શરૂ થશે

શુભ મુહૂર્ત ન હોવાથી હવે બે મહિના લગ્નોના ઢોલ નહીં ઢબુકે, 16મી જુલાઈથી ચાતુર્માસ શરૂ થશે

0
Social Share

અમદાવાદઃ ઉનાળાના વધતા જતા તાપમાનમાં પણ શુભ મૂહુર્તોમાં લગ્નો યોજાતા હોય છે, પરંતુ આગામી બે મહિના એટલે કે, મે અને જુન દરમિયાન લગ્નો માટે કોઈ શુભ મૂહુર્ત નથી, ત્યારબાદ 2 જુલાઈથી લગ્નનો શુભ મુહૂર્તો છે. પણ 16 જુલાઈથી 12 નવેમ્બર સુધી ચાતુર્માસના કારણે લગ્નનો કોઈ શુભ સમય નથી. એવું કર્મકાંડી પંડિતો કરી રહ્યા છે.

કર્મકાંડી પંડિતોના કહેવા મુજબ  મે-જૂન મહિનો હંમેશા લગ્નો માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ આ વર્ષે આ બે મહિનામાં લગ્નના ઢોલ સંભળાશે નહીં. આગામી બે મહિનામાં લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત નથી. આવું 24 વર્ષ પછી બન્યું છે. જ્યારે મે અને જૂન મહિનામાં લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 28 એપ્રિલથી શુક્ર અસ્ત થવાને કારણે મે અને જૂન મહિનામાં લગ્નનો કોઈ શુભ સમય નથી. જ્યોતિષ શાસ્ત્રના મતે પણ ગુરુ અને શુક્ર નક્ષત્ર અસ્ત થાય ત્યારે લગ્ન ન કરવા જોઈએ. આવી સ્થિતિમાં આ મહિનાની 28 એપ્રિલથી શુક્ર અસ્ત થવાને કારણે મે અને જૂન મહિનામાં લગ્નનો કોઈ શુભ સમય નથી. આ પછી 2 જુલાઈથી લગ્નનો શુભ મુહૂર્ત છે. 16 જુલાઈથી 12 નવેમ્બર સુધી ચાતુર્માસના કારણે લગ્નનો કોઈ શુભ સમય નથી. 24 વર્ષ પછી આવું બન્યું છે. જ્યારે મે અને જૂન મહિનામાં લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત નથી.

કેટલાક કર્મકાંડી પંડિતોનો અલગ મત છે. તેમના કહેવા મુજબ  અક્ષય તૃતીયા લગ્ન માટે શુભ મુહૂર્ત માનવામાં આવે છે, અક્ષય તૃતીયા 10 મેના રોજ છે.  આ દિવસે લગ્ન કરી શકાય છે. એક દિવસ હોવાના કારણે ઘણા લગ્નો યાજાશે. તેના માટે વાડીઓ અને હોલ પણ બુક થઈ ગયા છે. ભગવાન વિષ્ણુ ચાતુર્માસ માટે સૂવાની મુદ્રામાં જાય છે. તેથી આ ચાર મહિનામાં લગ્નના શુભ મુહૂર્ત લેવામાં આવતા નથી. 12 નવેમ્બરે દેવઉઠી એકાદશીથી લગ્નના શુભ મુહૂર્ત ફરી શરૂ થશે અને 14મી ડિસેમ્બર સુધી ચાલશે.

જ્યોતિષવિદોના કહેવા મુજબ  જ્યારે શુક્ર અસ્ત થાય છે, ત્યારે કૂવો ખોદવા, પગથિયાં ખોદવા અને લગ્ન, સગાઈ અને ઘરવખરીની વિધિઓ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર એક એવો ગ્રહ છે, જેના વિના શુભ કાર્યની કલ્પના પણ કરી શકાતી નથી. આવી સ્થિતિમાં શુક્ર અસ્ત થાય ત્યારે કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. શુક્ર ગ્રહને ઉર્જાનો ગ્રહ કહેવામાં આવ્યો છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code