1. Home
  2. ગુજરાતી
  3. પેટ્રોલ અને ડીઝલની નિકાસ ડ્યુટીમાં ફેરફાર, કેન્દ્ર સરકારનો નિર્ણય
પેટ્રોલ અને ડીઝલની નિકાસ ડ્યુટીમાં ફેરફાર, કેન્દ્ર સરકારનો નિર્ણય

પેટ્રોલ અને ડીઝલની નિકાસ ડ્યુટીમાં ફેરફાર, કેન્દ્ર સરકારનો નિર્ણય

0
Social Share

નવી દિલ્હી, 4 ઓગસ્ટ 2026: દેશમાં ઇંધણના વૈશ્વિક પ્રવાહો અને સ્થાનિક બજારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ની નિકાસ પર લાગુ થતી સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED) અથવા વિન્ડફોલ ટેક્સના નવા દરો જાહેર કર્યા છે. નાણા મંત્રાલય દ્વારા આગામી 15 દિવસ માટે જાહેર કરવામાં આવેલા આ સુધારેલા દરો આજથી જ અમલમાં આવી ગયા છે.

સુધારેલા નવા દરો (પ્રતિ લિટર):

સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આદેશ મુજબ ઇંધણની નિકાસ પરના નવા શુલ્ક ડીઝલ પરની નિકાસ ડ્યુટી હવે વધીને પ્રતિ લિટર ₹25.50 થઈ ગઈ છે. તો, પેટ્રોલની નિકાસ પરનું શુલ્ક વધીને પ્રતિ લિટર રૂ. 3.50 પર પહોંચ્યું છે. એવિએશન ટર્બાઇન ફ્યુઅલની નિકાસ ડ્યુટી પણ સુધારવામાં આવી છે.

સરકાર દ્વારા દર પખવાડિયે (15 દિવસે) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો, તેલ કંપનીઓના નફાના માર્જિન અને સ્થાનિક બજારમાં ઇંધણની ઉપલબ્ધતાની સમીક્ષા કરવામાં આવે છે. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની અંદર પેટ્રોલ અને ડીઝલની પૂરતી અછત ન સર્જાય અને સ્થાનિક ઉપભોક્તાઓની માંગને પ્રાથમિકતા મળે તે સુનિશ્ચિત કરવાનો છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ ટેક્સ ફેરફાર માત્ર વિદેશમાં થતી નિકાસ પર જ લાગુ થાય છે, અને દેશમાં સામાન્ય નાગરિકો માટે વેચાતા પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવ પર તેની કોઈ સીધી અસર પડશે નહીં.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code