1. Home
  2. ગુજરાતી
  3. એસોચેમની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ, વડાપ્રધાન મોદી આજે સમારોહમાં રતન ટાટાનું કરશે સન્માન
એસોચેમની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ, વડાપ્રધાન મોદી આજે સમારોહમાં રતન ટાટાનું કરશે સન્માન

એસોચેમની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ, વડાપ્રધાન મોદી આજે સમારોહમાં રતન ટાટાનું કરશે સન્માન

0
Social Share
  • એસોચેમની સ્થાપનાના 100 વર્ષ પૂરા
  • પીએમ મોદી સમારોહમાં રતન ટાટાનું કરશે સન્માન
  • વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્થાપના સપ્તાહના પ્રસંગે કરશે સંબોધિત
  • રતન ટાટાને ‘એસોચેમ એન્ટરપ્રાઇઝ ઓફ ધ સેન્ચ્યુરી એવોર્ડ’ આપવામાં આવશે

દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એસોચેમ એટલે કે એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઓફ ઈન્ડિયાના સ્થાપના સપ્તાહના પ્રસંગ પર સંબોધિત કરશે. પીએમઓના ટવિટર હેન્ડલ દ્વારા આ અંગે ગુરુવારે માહિતી આપવામાં આવી હતી.

વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા મુજબ,પીએમ મોદી સ્થાપના સપ્તાહના પ્રસંગ પર રતન ટાટાને ‘એસોચેમ એન્ટરપ્રાઇઝ ઓફ ધ સેન્ચ્યુરી એવોર્ડ’ પણ પ્રદાન કરશે. તે ટાટા સમૂહ વતી આ એવોર્ડ લેશે.

એસોચેમની સ્થાપના દેશના તમામ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરનારા પ્રમોટર મંડળો દ્વારા વર્ષ ૧૯૨૦ માં કરવામાં આવી હતી. આ સંસ્થામાં ૪૦૦ થી વધુ ચેમ્બર અને ટ્રેડ યુનિયનનો સમાવેશ થાય છે. દેશભરમાં તેના સભ્યોની સંખ્યા ૪.૫ લાખથી વધુ છે. આ સંસ્થા મુખ્યત્વે ઘરેલું અને આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી હતી.

-દેવાંશી

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code