
આયુર્વેદ એ આપણી સંસ્કૃતિ, વારસો અને પરંપરાનો એક ભાગ છે: ડો. માંડવિયા
નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ અહીં AIIMSમાં આયુષ-ICMR એડવાન્સ્ડ સેન્ટર ફોર ઈન્ટીગ્રેટેડ હેલ્થ રિસર્ચનું લોકાર્પણ કર્યું. તેમણે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને આયુષ મંત્રાલય વચ્ચેની અન્ય મેગા સંયુક્ત પહેલની પણ જાહેરાત કરી હતી જેમાં એનિમિયા પર મલ્ટિસેન્ટર ક્લિનિકલ ટ્રાયલ અને આયુષ આરોગ્ય સંભાળ સુવિધાઓ માટે ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ્સ (IPHS)ની શરૂઆતનો સમાવેશ થાય છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ આ પ્રસંગે રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠના 27માં દિક્ષાંત સમારોહ અને ‘આયુર્વેદો અમૃતનમ’ પરના 29મા રાષ્ટ્રીય સેમિનારનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
આ સહયોગી પહેલોના લોન્ચ પર તેમનો ઉત્સાહ વ્યક્ત કરતા ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, “આયુષમાં સહયોગી સંશોધન અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે તે પરંપરાગત જ્ઞાન અને આધુનિક વૈજ્ઞાનિક સંશોધન વચ્ચેના અંતરને દૂર કરે છે, આરોગ્ય સંભાળ માટે સિનર્જિસ્ટિક અભિગમને પ્રોત્સાહન આપે છે”. “આયુર્વેદ એ આપણી સંસ્કૃતિ, વારસો અને પરંપરાનો એક ભાગ છે. તે હજી પણ આપણા રોજિંદા વ્યવહારમાં અનુસરવામાં આવે છે. આ વ્યૂહાત્મક સહયોગનો હેતુ એકીકૃત આરોગ્ય સંશોધનને આગળ વધારવા, આધુનિક તબીબી વિજ્ઞાન સાથે પરંપરાગત આયુષ પ્રથાઓને સંકલિત કરવાનો અને ભારતને સર્વગ્રાહી આરોગ્યસંભાળ નવીનતાઓમાં મોખરે લઈ જવાનો છે”, તેમણે જણાવ્યું હતું.
આયુર્વેદ અને એલોપેથી એમ બંને વિદ્યા શાખાઓમાંથી શ્રેષ્ઠ અભ્યાસ અપનાવવા માટે સરકાર એક સંકલિત અભિગમ અપનાવી રહી છે તેના પર પ્રકાશ પાડતા, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું કે “કેન્દ્ર સરકાર લોકોની જરૂરિયાતો માટે ગુણવત્તાલક્ષી આરોગ્ય સંભાળ પૂરી પાડવા માટે કામ કરી રહી છે. દેશ આ દિશામાં, ભારતીય જાહેર આરોગ્ય ધોરણો (IPHS) કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આરોગ્ય સંભાળ વિતરણની ગુણવત્તા સુધારવા માટે સમાન ધોરણોના સમૂહ તરીકે પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આ સુધારાઓને અપનાવવાથી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો નિર્ધારિત ધોરણો અને ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આયુષ આરોગ્ય સંભાળ સેવાઓ વિકસાવવામાં સક્ષમ બનશે, જેનાથી જનતાને તમામ આરોગ્ય સંભાળ માટે આયુષ તબીબી સેવાઓના લાભો મેળવવા માટે સક્ષમ બનાવશે.