1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં 17મી ઓક્ટોબરથી આયુષ્માન ભવ અભિયાન સેવા પખવાડિયું ઊજવાશે
ગુજરાતમાં 17મી ઓક્ટોબરથી આયુષ્માન ભવ અભિયાન સેવા પખવાડિયું ઊજવાશે

ગુજરાતમાં 17મી ઓક્ટોબરથી આયુષ્માન ભવ અભિયાન સેવા પખવાડિયું ઊજવાશે

0
Social Share

ગાંધીનગરઃ મિશન “અંત્યોદય”ના સંકલ્પ સાથે રાજ્યના પ્રત્યેક ગામમાં તમામ પ્રકારની આરોગ્ય સેવાઓ પુરી પાડવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક છે ત્યારે વિવિધ આરોગ્ય સંભાળ યોજનાઓ વિશે જાગૃતિ વધારવા અને દરેક ગામમાં જટિલ આરોગ્ય સંભાળ સેવાઓને સંતૃપ્ત કરવા માટે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કાર્યરત કરેલી “આયુષ્માન ભવ: અભિયાન” ની યોજનામાં ગુજરાતે ખુબ જ સક્રિયતા સાથે પોતાનું યોગદાન આપી સેવા પખવાડિયા દરમિયાન તેને અનુરૂપ કાર્યક્રમોનું આયોજન યોજ્યા હોવાનું પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું છે.

મંત્રીએ કહ્યું કે, તા.17મી સપ્ટેમ્બરથી 2જી ઓકટોબર-2023 દરમિયાન સેવા પખવાડિયું તરીકે આયુષ્યમાન ભવ: અભિયાન સમગ્ર રાજ્યમાં કાર્યરત રહ્યું હતુ. આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં ખરા અર્થમાં આરોગ્ય સેવાની સરવાણી વહેતી રહી.

પ્રવક્તા મંત્રીએ “આયુષ્યમાન ભવ: અભિયાન” અંગે વિસ્તૃત માહિતી અપાતા જણાવ્યું કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સેવા પખવાડિયા દરમિયાન આયુષ્માન આપકે દ્વાર 3.0  અંતર્ગત પી.એમ.જે.એ.વાય. યોજના હેઠળ લાયક લાભાર્થીઓને આયુષ્માન કાર્ડના વિતરણ માટે 3,02,332 આયુષ્માન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા. તેમજ સમગ્ર રાજ્યમાં 10,87,314 લાખ ABHA કાર્ડ કાઢવામાં આવ્યા.તે ઉપરાંત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે 18,030 હેલ્થ મેળા યોજવામાં આવ્યા, જે 31 ડિસેમ્બર સુધી દર શનિવારે ચાલુ રહેશે. ઉપરાંત સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓબ્સ્ટેટ્રિક અને સ્ત્રીરોગ, બાળરોગ, સર્જરી, ઇએનટી, આંખ અને મનોરોગ જેવા નિષ્ણાંતો દ્વારા ૯૫ તબીબી કેમ્પ યોજવામાં આવ્યા છે. જેમાં 182 જેટલી સર્જરી પણ સફળતાપૂર્ણ પાર પાડવામાં આવી. એટલું જ નહિ, મેડીકલ કોલેજ દ્વારા દર ગુરુવારે તબીબી કેમ્પનુ આયોજન તા.31  ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, તા. 2 જી ઓક્ટોબર, 2023 ના રોજ ગ્રામ્ય વિસ્તારો માટે ગ્રામ્ય સ્તરની સભા (ગ્રામસભા) અને વિવિધ આરોગ્ય સંભાળ વિશે જાગૃતિ વધારવા માટે ગ્રામ્ય આરોગ્ય સ્વચ્છતા અને પોષણ સમિતિ (વી.એચ.એસ.એન.સી.)/ શહેરી સ્થાનિક સંસ્થાની આગેવાની હેઠળ શહેરી વિસ્તારો માટે આયુષ્માન સભા યોજવામાં આવી હતી.

તેમણે ઉમેર્યું કે, આ તમામ ઘટકોનુ સફળ અમલીકરણ કરનાર ગામ/ શહેરી વોર્ડને ‘આયુષ્માન ગ્રામ પંચાયત અથવા આયુષ્માન અર્બન વોર્ડ’ નો દરજ્જો એનાયાત થશે. એટલે કે, 100 % આયુષ્માન કાર્ડનું વિતરણ અને આભા આઈડીનું નિર્માણ, હાઈપરટેન્શન અને ડાયાબિટીસ માટે સ્ક્રીનીંગ/ તપાસ, ટીબીના દર્દીઓની ઓળખ અને સારવાર, સિકલ સેલ રોગની તપાસ અને કાર્ડ વિતરણ કરનાર ગામ/ શહેરી વોર્ડને ‘આયુષ્માન ગ્રામ પંચાયત અથવા આયુષ્માન અર્બન વોર્ડ’ નો દરજ્જો એનાયાત કરવામાં આવશે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, આ તમામ પ્રવૃત્તિઓ ઉપરાંત, સેવા પખવાડિયા દરમિયાન ગ્રામીણ અને શહેરી વિસ્તારોના તમામ જાહેર આરોગ્ય સંસ્થાઓ પર સ્વચ્છતા અભિયાન તેમજ 16,386   ગ્રામ પંચાયતોમાં આરોગ્ય સભા કરવામાં આવી હતી. તે ઉપરાંત 595  ઓર્ગન ડોનેશન પ્લેજ ડ્રાઇવ અને  974  રક્તદાન શિબિર પણ કરવામાં આવી હતી.જેમાં 45,229  બ્લડ યુનિટ મળ્યું  હતુ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code