1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. રાજકોટ: શિવરાત્રીના દિવસે શહેરમાં નોન-વેજનું વેચાણ કરી શકાશે નહીં, મનપાએ પ્રતિબંધ ફરમાવ્યો
રાજકોટ: શિવરાત્રીના દિવસે શહેરમાં નોન-વેજનું વેચાણ કરી શકાશે નહીં, મનપાએ પ્રતિબંધ ફરમાવ્યો

રાજકોટ: શિવરાત્રીના દિવસે શહેરમાં નોન-વેજનું વેચાણ કરી શકાશે નહીં, મનપાએ પ્રતિબંધ ફરમાવ્યો

0
Social Share
  • મહાશિવરાત્રીની રાજકોટમાં તૈયારી
  • મનપાએ જાહેર કર્યું ફરમાન
  • શિવરાત્રીના દિવસે નહીં થાય નોન-વેજનું વેંચાણ

રાજકોટ: આપણા ધર્મમાં કેટલાક લોકો માને છે અથવા કેટલાક લોકો શ્રધ્ધા હોય છે કે સારા દિવસે તેઓ કોઈ પણ પ્રકારનું નોનવેજ જમશે નહી, અથવા કેટલાક જે વેપારી હોય તે લોકો પોતાનો આ પ્રકારને વેપાર કરશે નહી. રાજ્યમાં મોટો વર્ગ એવો છે કે જે આ પ્રકારના ભોજનથી હંમેશા દુર રહે છે અને તેના વિશે વિચારતો પણ નથી.

આવામાં આ પ્રકારના શ્રધાળુંઓની લાગણીને ઠેસ ન પહોંચે અને તેમની આસ્થાનો ભંગ ન થાય તે વાતને ધ્યાનમાં રાખીને રાજકોટ મનપા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આગામી 1 માર્ચના રોજ મહાશિવરાત્રી નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માસ,મચ્છી,મટન અને ચિકનનું વેચાણ કે સ્ટોર કરવા પાર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. સબંધકર્તા સર્વે એ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ઘી.જી.પી.એમ.સી.એક્ટ 1949 અન્વયે કાયદેસની કાર્યવાહી કરવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code