1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાદરવી પૂનમઃ અંબાજી ગબ્બર પરના પગથિયા રિપેરિંગ કરાશે
ભાદરવી પૂનમઃ અંબાજી ગબ્બર પરના પગથિયા રિપેરિંગ કરાશે

ભાદરવી પૂનમઃ અંબાજી ગબ્બર પરના પગથિયા રિપેરિંગ કરાશે

0
Social Share

અમદાવાદઃ ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે તેવી શકયતાને પગલે તેમને તમામ સુવિધાઓ મળી રહે તે માટે કવાયત શરૂ કરી છે. શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ગબ્બર પર પગથિયા રિપેરિંગ કરવાનો નિર્ણય લેવાયો છે. આજથી પગથિયા રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. પગથિયા રિપેરિંગ કરવા ચાર-ચાર એમ બે તબક્કામાં ચઢવા અને ઉતરવાની સિડીઓનું રિપેરિંગ કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ચાલુ વર્ષે 23થી 29 સપ્ટેમ્બર સુધી સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજાશે. જે પહેલા સીડીઓ રિપેરિંગ કરવાનો નિર્ણય લેવાયો હતો. ગબ્બર ચઢવા અને ઉતરવાની સીડીઓ ક્રમશઃ ચાર-ચાર દિવસ બંધ રહેશે. 1થી 4 સપ્ટેમ્બર સુધી ગબ્બર ચઢવાનો રસ્તો બંધ રહેશે. જેથી બીજા રસ્તેથી ચઢવા અને ઉતરવાનું રહેશે. જે બાદમાં 5થી 9 સપ્ટેમ્બર દરમિયાન બીજો રસ્તો બંધ રહેશે. કામ પૂરું થયા બાદ બન્ને માર્ગ શરુ કરવામાં આવશે. મેળામાં આવનાર ભક્તોને તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા આ તૈયારી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અંબાજીમાં તા. 23મીથી 29મી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો યોજાશે. દરવર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખો લોકો પગપાળા સંઘ લઈ દર્શનાર્થે આવતા હોય છે. શ્રદ્ધાળુઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે મીટીંગ શરૂ કરવામાં આવી છે. એસટી નિગમ દ્વારા ભાદરવી પૂનમના મેળાને લઈને ખાસ બસ દોડાવવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code