1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાજપના MLA કેતન ઈનામદારનું પ્રેશર પોલિટિક્સ, રાજીનામું આપ્યા બાદ પાછું પણ ખેંચી લીધુ
ભાજપના MLA કેતન ઈનામદારનું પ્રેશર પોલિટિક્સ, રાજીનામું આપ્યા બાદ પાછું પણ ખેંચી લીધુ

ભાજપના MLA કેતન ઈનામદારનું પ્રેશર પોલિટિક્સ, રાજીનામું આપ્યા બાદ પાછું પણ ખેંચી લીધુ

0
Social Share

વડોદરાઃ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે જ ભાજપે વડોદરાનાં સાંસદ રંજનબેન ભટ્ટને ત્રીજી ટર્મ માટે રિપીટ કરતા વડાદરા શહેર અને જિલ્લા ભાજપમાં અસંતોષની લહેર ઊભી થઈ છે. રંજનબેનને ટિકિટ આપ્યાના બીજા જ દિવસે ભાજપનાં રાષ્ટ્રીય મહિલા મોરચાનાં ઉપાધ્યક્ષ ડો.જ્યોતિબેન પંડ્યાએ વિરોધ નોંધાવ્યો હતો. એને પગલે પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. આમ છતાં જ્યોતિબેન મક્કમ રહીને નારાજગી વ્યક્ત કરતાં રહ્યાં હતાં. આ ઘટનાક્રમ વચ્ચે અચાનક જ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પણ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું મોકલી દેતાં ભાજપનો જૂથવાદ સપાટી પર આવી ગયો છે. જોકે ધારાસભ્ય કેનત ઈનામદારએ પ્રેશર પોલિટિક્સ ટેકનિક અપનાવી હતી, કારણે તેમણે ઈ-મેઈલ દ્વારા રાજીનામું અધ્યક્ષને મોકલાવ્યું હતું. ગાંધીનગર જઈને રાજીનામું ન આપીને ઈ-મેઈલથી રાજીનામાનો પત્ર મોક્લ્યો હતો. ત્યારબાદ મનામણા શરૂ થતાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટિલ સાથે બંધ બારણે બેઠક કરીને રાજીનામું પરત ખેચવાની જાહેરાત પણ કરી હતી.

સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે ઈ-મેઈલથી રાજીનામું આપીને તેનો પત્ર પણ મીડિયામાં વાયરલ કર્યો હતો. તેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની સાથે વાત કરી હતી અને હકુભાને વડોદરા દોડાવ્યા હતા. ત્યાર બાદ ઇનામદાર વડોદરાથી પાટીલ સાથે બેઠક કરવા માટે 2 વાગ્યે ગાંધીનગર આવ્યા હતા. જ્યાં બન્ને વચ્ચે બંધ બારણે મુલાકાત થઈ હતી. આ મુલાકાત બાદ કેતન ઇનામદાર ઢીલા પડ્યા હતા. અને રાજીનામું પાછું ખેંચવાની જાહેરાત કરી હતી. અને કહ્યુ હતુ કે, મને મારા પ્રશ્નો પૂર્ણ કરવા માટે પાટિલે ખાતરી આપી છે. મહિ વિયર પ્રોજેક્ટને લઈ  અસંતોષ હતો. આચારસંહિતા પૂર્ણ થાય તે પહેલા કામ પૂર્ણ થાય તેવો મારો આગ્રહ હતો.

સૂત્રોના કહેવા મુજબ મોડી રાત્રે કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ઇ-મેઇલ દ્વારા પોતાના ધારાસભ્યપદેથી રાજીનામું આપતો પત્ર મોકલ્યો હતો. પરંતુ વિધાનસભા અધ્યક્ષને રૂબરૂ રાજીનામું ન આપે ત્યાં સુધી ધારાસભ્યપદ પરથી રાજીનામું આપ્યું એવું કહી શકાય નહીં. અધ્યક્ષને રૂબરૂ રાજીનામું સોંપવાની પ્રક્રિયા કેતન ઇનામદારે પૂરી કરી નહોતી, જેથી આ રાજીનામું માન્ય ગણાય નહીં, અગાઉ પણ રૂપાણી સરકાર વખતે તેઓ આ પ્રકારનો ડ્રામા કરી ચૂક્યા છે. આમ, ઇનામદારનું રાજીનામું પાર્ટી પર પોલિટિકલ પ્રેશર બનાવવા જ આપ્યું હોય એમ લાગી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code