1. Home
  2. ગુજરાતી
  3. કર્ણાટકની ફૂડ ફેકટરીમાં બોઈલર ફાટતા બે શ્રમજીવીના મોત, 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
કર્ણાટકની ફૂડ ફેકટરીમાં બોઈલર ફાટતા બે શ્રમજીવીના મોત, 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

કર્ણાટકની ફૂડ ફેકટરીમાં બોઈલર ફાટતા બે શ્રમજીવીના મોત, 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

0
Social Share

મુંબઈઃ કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં ફૂડ ફેકટરીમાં અચાનક બોઈલર ફાટ્યા બાદ આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં બે શ્રમજીવીઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે દાઝ્યાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર બેંગાલુરૂમાં મગદી માર્ગ સ્થિત એક ફૂડ ફેક્ટરીમાં બપોરના સમયે કર્મચારીઓ કામ કરી રહ્યાં હતા. દરમિયાન ફેક્ટરીના બોઈલરમાં સિલિન્ડર ફાટવાના ઘટના સર્જાઈ હતી. જેના કારણે ફેકટરીમાં નાસભાગ મચી ગઈ હતી. સિલિન્ડર ફાટ્યા બાદ આગ લાગી હોવાનું પણ જાણવા મળે છે. આ બનાવમાં બે શ્રમજીવીઓના ઘટના સ્થળે જ કરુણ મોત થયાં હતા. જ્યારે 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયાં હતા.

બેંગાલુરૂના ડીસીપીએ જણાવ્યુ કે, ફેક્ટરીના બોયલરમાં થયેલી આ દુર્ઘટનામાં બે મજૂરોના મોત થઈ ગયા છે.  બંને મજૂર બિહારના રહેવાસી હતા. આ સિવાય બે મહિલાઓ સહિત ત્રણ લોકો ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા. ત્રણેયને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code