1. Home
  2. ગુજરાતી
  3. સેલવાસમાં એલ્યુમિનિયમ ફોઈલ બનાવતા યુનિટ પર ભારતીય માનક બ્યુરોના દરોડા
સેલવાસમાં એલ્યુમિનિયમ ફોઈલ બનાવતા યુનિટ પર ભારતીય માનક બ્યુરોના દરોડા

સેલવાસમાં એલ્યુમિનિયમ ફોઈલ બનાવતા યુનિટ પર ભારતીય માનક બ્યુરોના દરોડા

0
Social Share

અમદાવાદઃ ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વગર આઈએસઆઈ માર્કવાળા ફૂડ પેક કરવા માટે ઉપયોગમાં લેવાતા એલ્યુમિનિયમ ફોઈલનું સિલવાસમાં ઉત્યાદન કરતા એકમ ઉપર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન, યુનિટમાંથી આઈએસઆઈ માર્ક વિના વધારે માત્રામાં ફૂડ પેક કરવા માટે ઉપયોગમાં લેવાતા એલ્યુમિનિયમ ફોઈલ, જપ્ત કરવામાં આવ્યું હતું. જો કે ઉપરોક્ત યુનિટ પાસે ફૂડ પેક કરવા માટે ઉપયોગમાં લેવાતા એલ્યુમિનિયમ ફોઈલ કેટલાક પાસે બીઆઈએસ લાયસન્સ ન હતું. વગર આઈએસઆઈ માર્કના ફૂડ પેક કરવા માટે ઉપયોગમાં લેવાતા એલ્યુમિનિયમ ફોઈલનું ઉત્પાદન કરી શકાતું નથી. તેથી ઉપરોક્ત યુનિટના ત્યાં દરોજાની કાર્યવાહી કરવામાં આવી.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ઓર્ડર નં. સીજી-ડીએલ-ઈ-15022020-216174 મુજબ તા. 13 ફેબ્રુઆરી 2020ના રોજ દારી કરાયેલા ફૂડને પેક કરવા માટે ઉપયોગમાં લેવાતા એલ્યુમિનિયમ ફોઈલ (ગુણવત્તા નિયંત્રણ) ઓર્ડર-2020ના રોજ ફૂડને પેક કરવા માટે ઉપયોગમાં લેવાતા એલ્યુમિનિયમ ફોઈલ આઈએસઆઈ માર્ક 17-08-2020 પછી ફરજિયાત બનાવવામાં આવ્યો છે.

અર્થાત કોઈપણ ઉત્પાદક અથવા વેપારી આઈએસઆઈ માર્ક લગાવ્યા વિના ફૂડ પેક કરવા માટે ઉપયોગમાં લેવાતા એલ્યુમિનિયમ ફોઈલનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં. આવું કરનારનાં વિરુદ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવશે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 2 લાખ આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે. બેઈમાન ઉત્પાદકો/વેપારીઓ જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યુરોના માન્ય લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદનોનું ઉત્પાદન/વેચાણ કરતા હોય છે. આ ઉપરાંત, ભારત સરકાર દ્વારા સમયાંતરે જારી કરાયેલ ગુણવત્તા નિયંત્રણ આદેશોનું ઉલ્લંઘન પણ સજાપાત્ર ગુનો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code