1. Home
  2. ગુજરાતી
  3. RBIનો મહત્વનો નિર્ણય, રોકડ ઘટાડવા સિસ્ટમમાંથી 2 લાખ કરોડ રૂપિયા પરત ખેંચશે

RBIનો મહત્વનો નિર્ણય, રોકડ ઘટાડવા સિસ્ટમમાંથી 2 લાખ કરોડ રૂપિયા પરત ખેંચશે

0
Social Share
  • દેશની સર્વોચ્ચ બેંકે લીધો મહત્વનો નિર્ણય
  • RBI સિસ્ટમમાંથી 2 લાખ કરોડ રૂપિયા પરત ખેંચશે
  • સિસ્ટમમાંથી રોકડ ઘટાડવા લીધુ આ પગલું

નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ બેંક RBIએ મહત્વનો નિર્ણય લીધો છે. RBI વેરિયેબલ રેટ રિવર્સ રેપોનો ઉપયોગ કરીને સિસ્ટમમાંથી બે લાખ કરોડની રકમ પરત ખેંચશે. સિસ્ટમમાંથી રોકડ ઘટાડવા માટે આ પગલું લેવાશે.

સપ્તાહ પહેલા આ જ દિશામા RBIએ પગલું લેતા 20મી ડિસેમ્બરે રિઝર્વ બેંકે આ જ પ્રકારની હરાજી દ્વારા સિસ્ટમમાંથી 81,160 કરોડની રકમ પરત ખેંચી હતી. મધ્યસ્થ બેંકે આ ઉપરાંત ચાર દિવસ અને સાત દિવસના ઓક્શન રાખ્યા છે.

રિઝર્વ બેન્કના આંકડા દર્શાવે છ કે સપ્તાહ પહેલા ટ્રેઝરી બિલ ઓક્શન યીલ્ડ ત્રણ મેચ્યોરિટીઝના કટ-ઓફથી 8થી 18 બેસિસ પોઇન્ટ ઊંચી રહેવા લાગતા ટૂંકા ગાળાના દર વધવાનો પ્રારંભ થઈ ગયો છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે ડિસેમ્બરમાં દ્વિમાસિક નીતિમાં સિસ્ટમમાંથી રોકડ ઓછી કરવા માટે ઓક્શન રૂટને યોગ્ય ગણાવ્યો હતો.

સિસ્ટમમાંથી વધારાની રોકડ શોષવા માટે ટૂંકાગાળાની વીઆરઆરઆર  મહત્ત્વનો ઓક્શન રૂટ પુરવાર થયો છે. કેટલાક ડીલરોનું માનવું છે કે રિવર્સ રેપો રેટમાં વધારો કરવાનો સરળ માર્ગ અપનાવવામાં આવ્યો હોત તો મની માર્કેટ રેટમાં ઓછી અસિૃથરતા જોવા મળી હોત.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code