1. Home
  2. ગુજરાતી
  3. એસ્ટ્રો
  4. સાયન્સ
  5. આ વૃક્ષની પૂજા કરતા જ દોડી આવશે દેવી લક્ષ્મી,પારિવારિક જીવન ખુશહાલ બની જશે
આ વૃક્ષની પૂજા કરતા જ દોડી આવશે દેવી લક્ષ્મી,પારિવારિક જીવન ખુશહાલ બની જશે

આ વૃક્ષની પૂજા કરતા જ દોડી આવશે દેવી લક્ષ્મી,પારિવારિક જીવન ખુશહાલ બની જશે

0
Social Share

જો તમારા ઘરમાં પણ દુ:ખ અને ગરીબી રહે છે. ઘરેલું જીવનમાં તણાવ રહે. ચારે બાજુથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. જો તમારું મન વ્યગ્ર છે, તો આવી સ્થિતિમાં તમારે પૂજા સિવાય એક બીજું કામ તમારા ઘરમાં કરવું જોઈએ. તમારા ઘરમાં તુલસીનું ઝાડ વાવો. હિંદુ ધર્મમાં તુલસીનો છોડ ખૂબ પૂજનીય છે.આપણાં ઘરના આંગણામાં આ વૃક્ષની પૂજા કરવામાં આવે છે. ઘરની ઉર્જા માટે તુલસીનો છોડ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ઔષધીય ગુણોથી ભરપૂર આ છોડ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત લાવે છે અને ઘરમાંથી નકારાત્મકતા દૂર કરે છે. એવું માનવામાં આવે છે કે તુલસીના છોડ પર દેવી લક્ષ્મીનો વાસ છે. તેને ઘરમાં લગાવવાથી ઘરેલું વિવાદ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ આવે છે.શાસ્ત્રોમાં તુલસીના છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ જણાવવામાં આવ્યું છે, એટલે કે જ્યાં પણ તુલસી હોય ત્યાં દેવી લક્ષ્મી અવશ્ય પધારે છે. આ એક અદ્ભુત ઔષધીય વનસ્પતિ છે.

આ છોડ તમને ભારતના લગભગ દરેક ઘરમાં જોવા મળશે. તમે મોટાભાગના ઘરોમાં તુલસીનો છોડ વાવેલો જોયો હશે. ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે. તુલસીનો છોડ ઘરની આફતોથી બચવા માટે જ નહીં પરંતુ રોગોને દૂર કરવા માટે પણ સારો ઉપાય છે. આ ઉપરાંત પરિવારની આર્થિક સ્થિતિ માટે પણ તે શુભ છે. ઘરમાં તુલસીનો છોડ રાખવાથી મનમાં શાંતિ અને પ્રસન્નતા આવે છે.

સવારે ઉઠ્યા પછી તુલસીના છોડનું દર્શન કરવું શુભ માનવામાં આવે છે અને વ્યક્તિને અન્ય તમામ તીર્થોની જેમ જ ફળ મળે છે. તુલસીને આપણા શાસ્ત્રોમાં સુંદરતા, સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. તુલસીના બીજ સાથે રાખવાથી ધન, સમૃદ્ધિ અને ધાર્મિક પ્રગતિ પણ થાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code